પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક નવી દવા લીધા બાદ ફેબ્રાઇલ રિએક્શનના કારણે રવિવાર રાતે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રવિવારે રાતથી દિલ્હીની AIIMSમાં દાખલ છે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહ
સૂત્રોએ જણાવ્યું કે ડૉ.સિંહનું સ્વાસ્થ્ય સોમવારે સારું છે, દિવસે એમને તાવ આવ્યો નથી
કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે નમૂનો લેવામાં આવ્યો હતો અને એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
વર્ષ 2004 થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા છે ડૉ.મનમોહન સિંહ
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સ્વાસ્થ્યમાં સુધારો થયો છો અને એમને કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ રવિવાર રાતથી દિલ્હીની AIIMS હૉસ્પિટલમાં દાખલ છે. એમ્સ સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે.
પૂર્વ પીએમ ડૉ.સિંહને કોઇ નવી દવાના કારણે રિએક્શન અને તાવ આવ્યા બાદ રવિવાર રાતે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 87 વર્ષીય સિંહને એમ્સના કાર્ડિયો-થૌરેસિક સેન્ટરમાં ચિકિત્સકોની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રીથી જોડાયેવા સૂત્રોનું કહેવું છે કે એમનું સ્વાસ્થ્ય સારું છે અને દિવસે એમેન તાવ આવ્યો નથી.
સૂત્રોએ જણાવ્યું કે સિંહની ઘણા પ્રકારની તપાસ કરવામાં આવી છે જેમાંથી કેટલાક રિપોર્ટ હજુ આવવાના બાકી છે. સૂત્રોએ જણાવ્યું કે સિંહને એક-બે દિવસની અંદર હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.
કોવિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ
એક સૂત્રએ કહ્યું, 'ઘાતક કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે નમૂનો લેવામાં આવ્યો હતો અને એમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.' આ પહેલા એમ્સના સૂત્રોએ જણાવ્યું, 'એક નવી દવા લીધા બાદ રિએક્શન થવાના કારણે એમને દાખલ કરવામાં આવ્યા હતા કેમ કે તેઓ ડૉક્ટરની દેખરેખમાં રહી શકે અને એમની તપાસ થઇ શકે.'
રાજસ્થાનથી રાજ્યસભા સભ્ય છે ડૉ. સિંહ
સૂત્રો પ્રમાણે પૂર્વ પ્રધાનમંત્રીની હાલત સ્થિર છે અને તેઓ એમ્સના કાર્ડિયો-થોરૈસિક સેન્ટરના ચિકિત્સકોની એક ટીમની દેખરેખમાં છે. સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને હાલ રાજસ્થાનના રાજ્યસભા સભ્ય છે. એ 2004 થી 2014 સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા છે.
2009માં થઇ હતી બાઇપાસ સર્જરી
વર્ષ 2009માં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહની એમ્સમાં જ કોરોનરી બાઇપાસ સર્જરી થઇ હતી. મનમોહન સિંહને હૉસ્પિટલમાં દાખલ થયાના સમાચાર મળતા જ કેટલાક નેતાઓએ એમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી ઠીક થાય એવી પ્રાર્થના કરી છે.