દરેક વ્યક્તિ આજકાલ પોતાના બાળકોની ખાણીપીણીની આદતોને લઇને ચિંતિંત રહે છે કેમકે વારંવાર સમજાવવા છતા પણ બાળકો ફળ-શાકભાજી ખાતા નથી અને જંકફુડ ખાવાની જીદ કરે છે. જેમ જેમ બાળકો મોટા થતા જાય છે તેમ તેમ તેમની આ જીદ અને ખાવાપીવાની વસ્તુઓને લઇને પસંદગી અટપટી બને છે.
એક સમય બાદ માતાપિતા બાળકોની આ આદતને સુધારી શકતા નથી. આ આદતો આગળ જતા બિમારીનું મુળ બની જાય છે. તેથી સમયની સાથે એ પણ જરુરી છે કે તમે યોગ્ય સમયે બાળકોની આદતો સુધારો જેથી ભવિષ્યમાં બાળકોની હેલ્થને નુકશાન ન પહોંચે.
યોગ્ય પોષણ અંગે બાળકોને જણાવો
પેરેન્ટ્સે ધૈર્ય અને સુઝ બુઝ સાથે બાળકોનો યોગ્ય પોષણ અંગે અને ખાવાપીવાની અનહેલ્ધી આદતોથી થતા નુકશાન અંગે તથા હેલ્ધી ફુડથી થતા ફાયદા અંગે જાણકારી આપવી જોઇએ.
સ્નેક એટેક
બાળકોને સ્નેક એટેક જેવી આદતોથી બચાવો. નાની ઉંમરમા તેમને યોગ્ય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય તેવુ ખાવા અંગે જાણકારી આપવી એટલે જરુરી છે કેમકે બાળપણમાં જે સ્વાસ્થ્ય સમસ્યાઓ બાળકોને ઘેરી લે છે તે જિંદગીભર પીછો છોડતી નથી. તેમાં મેદસ્વીતા જેવી તકલીફો સૌથી ઉપર છે. તે પોતાની સાથે અનેક સમસ્યાઓ લઇને આવે છે.
આરોગ્યના ખતરા જણાવો
બાળકો જાતે પોતાની ખાણીપીણી અંગે સજાગ બની શકતા નથી અને ખોટી આદતોને સમજી શકતા નથી. બાળકોનું માસુમ મન માત્ર સ્વાદ ઓળખે છે તેથી આરોગ્ય માટે ખતરો ઉભો થાય તેવો ખોરાક પેટમાં ન જાય તેનુ ધ્યાન માતા પિતાએ જ રાખવું પડે છે. બાળકોને જંકફુડથી થતા નુકશાન અંગે પ્રેમથી સમજાવો. જો બાળકોને બહારનું ખાવાનુ વધુ પસંદ પડતુ હોય તો તેને ઘરમાંજ સ્વાદ બદલીને કંઇક અલગ ટેસ્ટનુ ખવડાવો. તેમને સમજાવો કે ઘરનું બનેલુ જમવાનુ કેટલુ પૌષ્ટિક હોય છે.
હંમેશા બાળકોની મરજી ન ચાલવા દો
ખાણીપીણીની આદતો સ્વાદ સાથે આરોગ્ય પણ લાવે છે. બાળકોને જમવામા હંમેશા મનમાની ન કરવા દો. જો તમે ઘરે પ્રોસેસ્ડ ફુડ લઇને નહી જાવ તો બાળકો કમસે કમ ઘરમા તો એવું નહીં જ જમે. બાળકોના ખોરાકમાં લીલા શાકભાજી અને ફળ જરુર સામેલ કરો. બાળકોને વારંવાર ન ટોકો નહી તો તેઓ ડિપ્રેશનમાં પણ આવી શકે છે.