લોકો ટેક્સ સેવિંગ માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. એવામાં આજે અમે તમને ટેક્સ બચાવવા માટે થોડી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. નીરજ અત્રીનો અહેવાલ
લોકો ટેક્સ સેવિંગ માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે
ઇન્કમ ટેક્સ બચાવવાની 10 ટિપ્સ
ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે થોડો સમય બાકી છે એવામાં કરદાતાઓ પાસેથી રોકાણની વિગતો ઓફિસો દ્વારા પૂછવામાં આવી રહી છે. એટલે કે લોકોએ અત્યારથી જ નાણાકીય આયોજન શરૂ કરી દીધું છે. ખાસ કરીને આવા ટેક્સપેયર જેઓ છેલ્લી ઘડીએ રોકાણ કરે છે એવા લોકો ટેક્સ સેવિંગ માટે નવા નવા રસ્તાઓ શોધી રહ્યા છે. એવામાં આજે અમે તમને ટેક્સ બચાવવા માટે થોડી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ઇન્કમ ટેક્સ બચાવવાની 10 ટિપ્સ 1. સેક્શન 80C હેઠળ ટેક્સની બચત-
આવકવેરા કાયદાની આ કલમ હેઠળ, તમારું પ્રોવિડન્ટ ફંડ પગારમાંથી કાપવામાં આવે છે. 80C હેઠળ પેન્શન ફંડમાં જમા કરવામાં આવેલી રકમ, જીવન વીમા પૉલિસી માટે જમા કરાયેલ પ્રીમિયમ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, એટલે કે NSC કરેલા રોકાણમાં, પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં કરાયેલા રોકાણો, યુનિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન, બાળકોની ટ્યુશન ફી, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, હોમ લોન પર ચૂકવેલ વ્યાજ પર કુલ 1,50,000 રૂપિયાની છૂટ આપવામાં આવે છે.
2. NPS ખાતું ખોલો-
નેશનલ પેન્શન સ્કીમ NPS એટલે કે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં કરેલા રોકાણ પર કલમ 80C હેઠળની કપાત ઉપરાંત રૂ. 50,000ની કપાત મેળવી શકો છો, એટલે કે તમે આ યોજનામાં રોકાણ કરીને આવકવેરો બચાવી શકો છો એ સાથે જ રીટાયરમેન્ટ પછી પેન્શન પણ મેળવી શકો છો.
3. 80TTA નું ધ્યાન રાખો -
જણાવી દઈએ કે બેંકોના બચત ખાતામાં પડેલી રકમ પર મળતું વ્યાજ પણ કરપાત્ર છે અને તેના પર પણ આવકવેરો ભરવો પડે છે. પણ આવકવેરા કાયદાની કલમ 80TTA હેઠળ, તમને તમારા બચત ખાતામાં જમા રકમ પર 10,000 રૂપિયા સુધીના વ્યાજ પર આવકવેરામાં છૂટ મળે છે. મહત્વની વાત એ છે કે ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ પર મળતું વ્યાજ કરમુક્ત નથી.
4. હોમ લોન અથવા મકાન ભાડા ભથ્થા પર ચૂકવવામાં આવતા વ્યાજ પર છૂટ -
ઘણા નોકરી કરતા લોકો ઘર ખરીદે છે, પછી હોમ લોન લે છે, જેની EMI સતત ચૂકવવી પડે છે. વાર્ષિક રૂ. 2,00,000 સુધીના EMIમાં બેંકને આપવામાં આવતા વ્યાજની રકમ પર કર મુક્તિ મેળવી શકાય છે. તેનો અર્થ એ છે કે તમે તમારા કુલ EMIમાં જે વ્યાજ ચૂકવો છો તેમાંથી રૂ. 2,00,000 ની રકમ કરમુક્ત છે.
5. આરોગ્ય વીમા પ્રીમિયમ પર મુક્તિ-
જો તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે, અને તમારા માટે, જીવનસાથી અથવા આશ્રિત બાળકો માટે સ્વાસ્થ્ય વીમા પૉલિસી માટે પ્રીમિયમ ચૂકવો છો, તો તમને 25,000 રૂપિયા સુધીની આવકવેરામાં છૂટ મળી શકે છે. સાથે જ જો તમારા માતાપિતા 60 વર્ષથી વધુ ઉંમરના છે, અને તમે તેમના માટે પણ પ્રીમિયમ ચૂકવી રહ્યા છો, તો તમે રૂ. 50,000 સુધીની વધારાની કપાત મેળવી શકો છો.
6. 80DD પર પણ મળે છે છૂટ -
જો કોઈ તમારા પરિવારમાંથી અપંગ વ્યક્તિ છે તો તમે તેમના પર થતા ખર્ચ પર આવકવેરામાં મુક્તિ મેળવી શકો છો. આ કિસ્સાઓમાં, જો વિકલાંગતા 40 થી 80 ટકા હોય, તો 75,000 રૂપિયાની છૂટ અને વિકલાંગતા 80 ટકાથી વધુ હોય તો તેના પર થયેલા ખર્ચની રકમ પર, રૂ. 1, 25,000 છૂટ મળે છે.
7. 80DDB પર પણ આવકવેરાની છૂટ -
આવકવેરા કાયદાની કલમ 80DDB હેઠળ, તે રકમ પર કર મુક્તિ આપવામાં આવે છે જો કોઈ તમારા પરિવારમાંથી બીમાર છે તો આ કલમ હેઠળ, જો દર્દીના આશ્રિતની ઉંમર 60 વર્ષથી ઓછી હોય, તો 40,000 રૂપિયા છૂટ મળે છે અને પ્રવિવર્ણ સભ્યની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો રૂપિયા 1 સુધીની છૂટ મળે છે.
8. એજ્યુકેશન લોનના વ્યાજમાં પણછૂટ -
આવકવેરા કાયદાની કલમ 80E હેઠળ બાળકો માટે લીધેલ શિક્ષણ લોન વ્યાજ ચૂકવણી કરપાત્ર આવકમાંથી બાદ કરવામાં આવે છે. આ કલમ હેઠળ ચૂકવવામાં આવેલ વ્યાજની સંપૂર્ણ રકમ કરમુક્ત ગણવામાં આવે છે, અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી પણ વ્યાજની રકમ મહત્તમ 8 વર્ષ સુધી જ કરમુક્ત છે. 8 વર્ષ પછી ચૂકવવામાં આવેલા વ્યાજ પર કર મુક્તિ મળશે નહીં.
9. તમારા માટે યોગ્ય ટેસ્ટ પદ્ધતિ પસંદ કરો -
હવે છેલ્લા બે-ત્રણ વર્ષથી, આવકવેરાની ગણતરી અને ચૂકવણી કરવા માટે બે પદ્ધતિ છે, જેને ઓલ્ડ ટેક્સ રેજીમ અને ન્યુ ટેક્સ રેજીમ કહેવામાં આવે છે. જૂની ટેક્સ સિસ્ટમમાં આ બધી છૂટ આપવામાં આવે છે, પરંતુ ટેક્સ સ્લેબના દરો ઊંચા છે. નવી ટેક્સ સિસ્ટમમાં છૂટ આપવામાં આવી નથી, પરંતુ ટેક્સના દર ઘણા ઓછા છે.
10. ITR સમયસર દાખલ કરો -
દરેક નાણાકીય વર્ષમાં કમાયેલી આવક પર ટેક્સ ચૂકવ્યા પછી, વ્યક્તિએ તેનું એકાઉન્ટ આવકવેરા વિભાગ સાથે શેર કરવું પડશે, જેને આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાનું કહેવામાં આવે છે. 31 માર્ચના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે, તે જ વર્ષની 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવાની હોય છે, તમે 31 માર્ચ પહેલા ટેક્સની તે રકમ જમા કરાવી નથી, તો તમારે તે રકમ પર વ્યાજ ચૂકવવું પડશે અને થોડો દંડ પણ ભરવો પડશે.