નવા કૃષિ કાયદા પર ખેડૂત સંગઠનો અને કોંગ્રેસે મોદી સરકારને એવી રીતે ઘેરી લીધી છે કે હવે નવા નવા આઈડિયાથી ખેડૂતોને મનાવવા પડી રહ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને બોલાવી તેમને મનાવવા માટે મોર્ચો સંભાળ્યો છે. સરકાર ખેડૂતોને પોતાના સિધ્ધીઓ પણ ગણાવવામાં લાગી છે. જો કે તેમની પાસે બજારની બહાર લાગેલા ટ્રેડ એરિયામાં MSPને બાધ્ય ન બનાવવાને લઈને કોઈ જવાબ નથી.
ભાજપના બેનર હેઠળ હરિયાણા ટ્રેક્ટર રૈલી પણ કરી
સરકાર પર ભરોસો કરવા કિસાનોને મનાવાઈ રહ્યા છે
સરકાર પાસે એરિયામાં MSPને બાધ્ય ન બનાવવાને લઈને કોઈ જવાબ નથી
સરકારના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ટ્રેક્ટર વાળા ખેડૂત આંદોલનનો જવાબ આપવા માટે ભાજપના બેનર હેઠળ હરિયાણા ટ્રેક્ટર રૈલી પણ કરી લીધી. પરંતુ તેનો કોઈ ખાસ લાભ નથી થયો. એવામાં તેઓ જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કિમ અને કિસાન ક્રેડિટ કાર્ડના વિસ્તાર સહિત તેમના અનેક કામ એવા છે કે જેના કારણે તેમણે સરકાર પર ભરોસો કરવો જોઈએ કે કિસાનોની સાથે કંઈ ખોટું નહીં થવા દઈએ. હવે કિસાનો પર તેની કેટલી અસર થશે તેતો સમય જ બતાવશે. પરંતુ તે લોકોને ગણાવવાથી પાછા નથી પડી રહ્યા.
ખેડૂતો માટે મોદી સરકારના મોટા કામ
સ્વામીનાથન કમિટીની એમએસપી નક્કી કરવાના સૂચનોને લાગુ કર્યા છે. જેનાથી ઉત્પાદનના ખર્ચ પર ઓછોમાં ઓછો 50 ટકા લાભ થાય
2020-21 દરમિયાન કૃષિ બજેટ 1,34,399 કરોડ રહ્યુ. જે 2009-10માં ફક્ત 12000 કરોડ હતુ.
આત્મનિર્ભર ભારત પૈકેજ હેઠળ 1 લાખ કરોડ રુપિયાનો કૃષિ ઈન્ફ્રા ફંડ બનાવવામાં આવ્યું છે. જેનાથી માળખાગત વિકાસ થશે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કિમથી 10 કરોડથી વધારે ખેડૂતો લાભ મળ્યો છે. ખેડૂતોને ડીબીટીના માધ્યમથી 94 000 કરોડ રુપિયા વધારે રકમ આપવામા આવી છે.
કોરોના મહામારી દરમિયાન પીએમ કિસાન યોજના હેઠળ 9 કરોડ ખેડૂતો 38 000 કરોડથી વધારે આપવામાં આવ્યા છે
ફેબ્રુઆરીમાં 209માં મત્સ્ય પાલક અને પશુપાલક ખેડૂતોને પણ કેસીસી કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે. તેમને 2 લાખ રુપિયાની લોન ફક્ત 4 ટકાના દર પર મળે છે.
ગત 6 મહિનામાં 1.29 કરોડ ખેડૂતોને નવી કેસીસી કાર્ડ આપવામાં આવ્યા છે.