તાપી પાર નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂર્વ મંત્રી ગણપત વસાવાનું મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે પ્રોજેકટ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
રિવરલિંક પ્રોજેક્ટને લઇ પૂર્વ મંત્રી ગણપત વસાવાનું નિવેદન
તાપી પાર નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને લઈને પૂર્વ મંત્રી ગણપત વસાવાએ અગત્યનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તાપી પાર નર્મદા રિવરલિંક યોજનાને 1980થી પ્રક્રિયા શરૂ થઇ હતી. તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. ચાલુ વર્ષે નિર્મલા સીતારામાં બજેટમાં લિંક યોજનાની જોગવાઈ કરવામાં આવી છે.ત્યારે આદિવાસી વિસ્તારમાં યોજનનો વિરોધ થયો છે. જેને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષે આદિવાસી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.
ભાજપના કોઈ પણ નેતા ઉશ્કેરીજનક કામ કરતાં નથી
આ મામલે ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે એક બેઠક થઈ હતી.જેમાં કેન્દ્ર સરકારે આ પ્રોજેકટને હાલ પુરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે શ્વેત પત્ર બહાર પાડવાની વાતો કરવામાં આવે છે. પરંતુ અમને અમારી સરકાર પર ભરોસો છે. કોંગ્રેસે નર્મદા ડેમના વિસ્થાપીતોની હાલત કોંગ્રેસે શુ કરી હતી તે સૌ જાણે છે. ભાજપના કોઈ પણ નેતા ઉશ્કેરીજનક કામ કરતાં નથી.ભાજપ કોઈ પણ ચૂંટણીથી ડરી નથી.
આદિવાસીઓના હિતમાં કર્યો નિર્ણય: નરેશ પટેલ
ઉલ્લેખનીય છે કે, તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટ અંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આદિવાસી વિસ્થાપિત ન થાય તે માટે તેમના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે.જેમાં કેન્દ્ર સરકારે હાલ આ પ્રોજેક્ટને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે