લેખાનુદાન બજેટ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે લેખાનુદાનમાં છેવાડાના માનવીની ચિંતા કરવામાં આવી છે. બજેટમાં ભવિષ્યના ગુજરાતને ધ્યાનમાં રાખવામાં આવ્યુ છે.
આંગણવાડી બહેનોને 900 રૂપિયાનો વધારો આપ્યો છે. તો ખેડૂતોને આધુનિક ખેતી માટે રૂપિયા 500 કરોડ ફાળવ્યા છે. આ ઉપરાતં મુખ્યમંત્રીએ જણાવ્યું કે માછીમારોને ડીઝલ સબસીડીમાં વાધારો કરવામાં આવ્યો છે. આમ બજેટમાં તમામ વર્ગોનુ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પ્રોગ્રેસિવ અને સેન્સિટિવ બજેટ છે.
લેખાનુદાન બજેટ મુદ્દે CM @vijayrupanibjp નું નિવેદન લેખાનુદાનમાં છેવાડાના માનવીની ચિંતા કરાઈ છે #Budget માં ભવિષ્યના #Gujarat ને ધ્યાનમાં રખાયુ છે આંગણવાડી બહેનોને 900 રૂપિયાનો વધારો આપ્યો છે ખેડૂતોને આધુનિક ખેતી માટે રૂ.500 કરોડ ફાળવ્યાઃ CM#Budget2019pic.twitter.com/BhURCaSd3h
ઉલ્લેખનીય છે કે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે આજરોજ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં અમારી સરકાર રાજ્યના વિકાસ માટે દીર્ધદ્રષ્ટીથી આયોજન કરે છે તેવી વાત ઉચ્ચારી હતી. આ સાથે જ પ્રજાએ સરકારની કામગીરી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.