અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાત પોલીસની કામગીરીના સી.આર પાટીલે કર્યા વખાણ, સાથે જ તેઓના હકની પણ કરી વાતો
ગુજરાત પોલીસ અંગે સી.આર પાટીલનું મહત્વનું નિવેદન
'ગુજરાત પોલીસ 14-14 કલાકની નોકરી કરે તે યોગ્ય નથી'
ગુજરાત પોલીસ પર મને ગર્વ- સી.આર પાટીલ
એક તરફ રાજ્યમાં ગુજરાત પોલીસની છબી સુધારવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ પોલીસની કામગીરીની વાહવાહીની સાથે તેઓના હકની વાત પણ થઇ રહી છે. જી, હા ગુજરાત પોલીસ 14-14 કલાકની નોકરી કરે તે યોગ્ય નથી. તેઓને પણ હકની રજા મળવી જોઇએ. આવું અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું.
ગુજરાત પોલીસ 14-14 કલાક નોકરી કરે તે યોગ્ય નહી-પાટીલ
ચૂંટણી હોય કે પછી દિવાળી, ઇદ હોય કે નવરાત્રિ. દરેક વાર તહેવારે કે પછી કોઇ પણ મોટા આયોજનો દરમિયાન પોલીસને બંદોબસ્તમાં આપણે જોઇએ જ છીએ. કોરોના કાળમાં પણ પોલીસે પોતાની ફરજની સાથે સાથે ઉત્તમ કામગીરી કરી હતી. ત્યારે હવે સી.આર પાટીલે ગુજરાત પોલીસના પક્ષમાં એક મહત્વનું નિવેદન આપ્યું. અમદાવાદ પોલીસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે વધુમાં જણાવ્યુ કે પોલીસ અધિકારીઓએ પણ પોલીસકર્મીઓને મળવાનો સમય આપવો જોઇએ, જેથી તેમની સમસ્યાઓનું સમાધન આપી શકે..
ગુજરાત પોલીસ પર મને ગર્વ- સી.આર પાટીલ
તેઓએ સાથે એમ પણ જણાવ્યું કે અન્ય વિભાગ કરતા પોલીસ વિભાગમાં વધુ ભ્રષ્ટાચાર છે. પોલીસ વિભાગ પર વધારે ભાર આપવો જરૂરી છે કારણ કે કેટલાક પોલીસ કર્મચારીઓને લીધે પોલીસ વિભાગ બદનામ થયા છે. પરંતુ પોલીસ કર્મીઓની કદર કરવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે પોલીસ કર્મચારીઓને કાયમી મકાન મળે તે માટે હર્ષ સંઘવીને પણ કહ્યું છે. પોલીસ વિભાગ માટે મે અગાઉ પણ રજૂઆત કરી છે. ગુજરાત પોલીસ પર મને ગર્વ છે.