ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસના આક્ષેપ પર મોહન કુંડારિયાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે ખેડૂતોનો સહારો લીધો છે. કેટલાય ખેડૂતોને રૂપિયા ચૂકવાયા છે.
ખેડૂતોના પાક વીમા મુદ્દે કોંગ્રેસના આક્ષેપ પર મોહન કુંડારિયાએ વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, પ્રચાર માટે કોઈ મુદ્દો ન હોવાથી કોંગ્રેસે ખેડૂતોનો સહારો લીધો છે. કેટલાય ખેડૂતોને રૂપિયા ચૂકવાયા છે. આગામી સમયમાં અન્ય ખેડૂતોને પણ રૂપિયા ચૂકવાશે. સાથે જ કહ્યું કે જે ગામને વીમો નથી મળ્યો તે અંગે તપાસ ચાલુ છે.
કુંડારિયાએ કહ્યું કે, બેન્કના માધ્યમથી રાજકોટમાં આવતીકાલે ચૂકવણુ પૂરું થશે. ક્રોપ કટિંગમાં ખેડૂતોની પત્રકમાં સહી કરવામાં આવે છે. અછત હોવા છતાં 13 હજાર 600 ખેડૂતોને આપવામાં આવ્યા છે. દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે. પ્રચાર માટે મુદ્દો નહીં હોવાથી કોંગ્રેસે ખેડૂતોનો સહારો લીધો. પડધરી મામલે હું રાજ્ય સરકાર ને રજુઆત કરીશ. ઉપલેટા, પડધરી અને ધોરાજીને વીમો નથી મળ્યો. આ જિલ્લાઓમાં કેમ વીમો નથી મળ્યો તેની તાપસ ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં ર૦૧૮ના વર્ષમાં મગફળીનું વાવેતર થયેલ તે મોટા ભાગે નિષ્ફળ ગયું હતું. ત્યાર બાદ સરકારે પાક વીમાની જાહેરાત કરી હતી. પડધરી, ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ૦ ટકા વીમો મંજુર થયો. વીમા કંપનીએ આ ત્રણેય તાલુકાઓને વીમાનો એક રૂપીયો પણ મંજુર નહોતો કર્યો.