લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વડનગરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ 2019ની ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચે હોવાનું કહ્યુ હતુ.
વડનગર: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વડનગરમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ 2019ની ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચે હોવાનું કહ્યુ હતુ.
વડનગરમાં CM @vijayrupanibjp નું જાહેરસભાને સંબોધન, 2019ની ચૂંટણી ચોકીદાર અને ચોર વચ્ચે, પ્રિયંકાને કહેવા માંગુ છુ કે તમે અડવાણીની ચિંતા છોડી દો, તમે કેટલાને હાંસિયામાં ધકેલ્યા તેનો જવાબ આપો: CM pic.twitter.com/EXSXhlInch
તેમજ તેમણે પ્રિયંકાને અડવાણીની ચિંતા ન કરવા કહ્યુ હતુ અને કોંગ્રેસ દ્વારા હાંસિયામાં કેટલાને ધકેલવામાં આવ્યા છે તેનો જવાબ આપવા કહ્યુ હતુ. મળતી માહિતી મુજબ વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને ઉદ્દેશીને મહત્વનું નિવેદન આપ્યુ હતુ. જેમાં તેમણે રાહુલ ગાંધીને આવડત વગરના કહ્યા હતા. તેમજ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની મજાક જોઈને દયા આવે છે. તેમ પણ કહ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આજરોજ રાજ્યના મુખ્યપ્રધાન ઉત્તર ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાતે હતા. જ્યાં તેમણે આગામી ચૂંટણીને લઇને સભાઓને સંબોધન કર્યું હતું. ત્યારે આજરોજ તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં એક જાહેરસભા સંબોધી હતી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને આવડત વગરના છે. તેમજ સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીની મજાક જોઈને દયા આવે છે.