અમદાવાદના સરખેજથી ગાંધીનગર પહોંચતા કેટલો લાગે છે હાલ સમય? એસ.જી.હાઈવે પર કેવી રીતે બ્રિજ વધારી રહ્યા છે સુંદરતા? જુઓ આ અહેવાલમાં...
હવે માત્ર મિનિટોમાં જ ગાંધીનગર
સરખેજથી ગાંધીનગરનું અંતર ઘટ્યું!
ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો
રાજ્યની આર્થિક રાજધાની અમદાવાદ અને રાજધાની ગાંધીનગર વચ્ચે અંતર સાવ ઘટી ગયું છે. પહેલા જ્યાં આ બે શહેરોમાં જવા માટે ઘણો સમય લાગતો હતો. ત્યાં હવે 50 ટકા સમય બચી જાય છે. માત્ર ગણતરીની મિનિટોમાં અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાય છે. પહેલા એસ.જી.હાઈવે પર ટ્રાફ્રિકજામની અનેક સમસ્યાઓ રહેતી પરંતુ હવે એક બાદ એક અનેક બ્રિજ બનતા વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી ગઈ છે. ત્યારે અમદાવાદના સરખેજથી ગાંધીનગર પહોંચતા કેટલો લાગે છે હાલ સમય?. એસ.જી.હાઈવે પર કેવી રીતે બ્રિજ વધારી રહ્યા છે સુંદરતા?...જુઓ આ અહેવાલમાં...
મહત્વનું છે કે, ગઈકાલે અમદાવાદમાં વધુ એક બ્રિજ આજે ખુલ્લો મુકાયો હતો. એસ.જી.હાઇવે પર વધુ એક બ્રિજ વાહનચાલકો માટે તૈયાર થઈ જતાં તેને જનતા માટે ખોલી દેવાયો હતો. થલતેજ સર્કલથી કારગીલ પેટ્રોલ પંપ સુધીનો બ્રિજ ખુલ્લો મુકાયો છે. કુલ 4.5 કિમી સુધીનો એલિવેટેડ બ્રિજ બનાવાશે. જેમાં 1.5 કિમી સુધીની કામગીરી પૂર્ણ થઈ છે. તો 1.5 કિમી સુધીનો બ્રિજ આજે ખુલ્લો મુકાયો છે. ચાલુ સપ્તાહે જ એસ.જી. હાઇ-વે પર બે બ્રિજ ખુલ્લા મુકાયા હતા. ગૃહમંત્રી અમિત શાહે 2 બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. એસ.જી. હાઈ-વે પર ટ્રાફિકનું ભારણ ઘટતું જોવા મળશે.