ભારતીય સંસ્કૃતિમાં રુદ્રાક્ષનું ખુબ જ મહત્વ રહેલું છે એક મુખી રુદ્રાક્ષથી શરુ કરીને 21 મુખી રુદ્રાક્ષ સુધીના રુદ્રાક્ષ આપણે ત્યાં પ્રાપ્ત થતા હોય છે. જોકે ઘણીવાર ભદ્રાક્ષને પણ લોકો રુદ્રાક્ષ માનીને પહેરી લેતા હોય છે. જેને કારણે કોઈ હેતુ સિદ્ધ થતો નથી. રુદ્રાક્ષને ભગવાન શિવનુ સ્વરૂપ માનવામા આવે છે. તેનો મહિમા શિવપુરાણ પદ્મપુરાણ રૂદ્રાક્ષકલ્પ વગેરે ગ્રંથોમાં વર્ણવામાં આવ્યો છે. રૂદ્રાક્ષ એક એવું ફળ છે જે અર્થ ધર્મ કામ અને મોક્ષ પ્રદાન કરવામાં મહત્વનું સાબિત થયું છે. આમ તો રૂદ્રાક્ષ કોઈ પણ હોય તો લાભ આપે જ છે પણ તેના મુખને આધારે તેનું મહત્વ અલગ અલગ જણાવવામાં આવ્યું છે.
રૂદ્રાક્ષ અંગે આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે.
જે માળાથી તમે જાપ કરો છો તેને ધારણ કરવી નહિં.
રૂદ્રાક્ષને શુભ મુહૂર્તમાં જ ધારણ કરવું જોઈએ.
વીંટીમાં જડાવી ધારણ ના કરવો જોઇએ. એવું મનાય છે કે જે
રુદ્રાક્ષ દરેક દુઃખોને દૂર કરે છે તેમની ઈચ્છાઓ પૂરી થાય છે.
કાલસર્પ યોગને દૂર કરે છે.
ધાર્મિક ફાયદા ધાર્મિક માન્યતા પ્રમાણે જે ઘરમાં રૂદ્રાક્ષની નિયમિત પૂજા થાય છે ત્યાં અન્ન વસ્ત્ર ધન-ધાન્યની ક્યારેય ખોટ સાલતી નથી. આવા ઘરોમાં લક્ષ્મી હંમેશા વાસ કરે છે. એવું મનાય છે કે રૂદ્રાક્ષને હંમેશા ધારણ કરનારો અને તેની પૂજા કરનાર અંતકાળમાં શરીરનો ત્યાગ કરી શિવલોકમાં સ્થાન મેળવે છે. જ્યોતિષમાં પણ રુદ્રાક્ષનો ખાસ ઉલ્લેખ કરાયેલ છે. શનિની સાડાસાતી હોય કે ગ્રહદશા ખરાબ હોય ત્યારે રુદ્રાક્ષ ધારણ કરવાથી ખુબ લાભ પ્રાપ્ત થાય છે
શંકરના આંસુઓથી બનેલ પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે સતીના દેહ ત્યાગથી શિવને ખૂબ દુઃખ થયું હતું અને તેમની આંખોમાંથી આંસુ પડ્યા હતા જેમાંથી રૂદ્રાક્ષ ઉત્પન્ન થયા છે. પરિણામે રૂદ્રાક્ષ ધારણ કરનારાના દરેક દુઃખો ભગવાન દૂર કરે છે. કહેવાય છે કે રૂદ્રાક્ષ જેટલો નાનો તેટલો જ તે વધુ અસરકારક હોય છે. તે સફળતા ધનસંપત્તિ માન-સન્માન અપાવે છે. જુદી-જુદી ઈચ્છા પ્રમાણે જુદા-જુદા રૂદ્રાક્ષ ધારણ કરવા જોઈએ.
કોઈ શુભ દિવસે ગંગા સ્નાન કરવાનું મન થાય અને તે શક્ય ન હોય ત્યારે રૂદ્રાક્ષને માથા પર મુકી ભગવાન શંકરનું ધ્યાન કરવાથી ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે.