જો તમે એસબીઆઈ બેંકના ગ્રાહક છો તો તમારા માટે કામના સમાચાર છે. એસબીઆઈએ પોતાની સર્વિસ સંબંધિત માહિતી વિશે ટ્વિટ કર્યું છે. ચાલો જાણી લો.
એસબીઆઈ બેંકના ગ્રાહકો માટે કામના સમાચાર
શુક્ર અને શનિવારે બેંકની આ સર્વિસ રહેશે બંધ
જરૂરી કામ હોય તો ફટાફટ પતાવી લો
એસબીઆઇએ ટ્વિટ કર્યું છે કે મેન્ટેનન્સ એક્ટિવિટીને કારણે બેંકની કેટલીક સેવાઓ બંધ રહેશે. એસબીઆઇનું કહેવું છે કે ગ્રાહકોને કોઈ અડચણ વિના બેન્કિંગનો અનુભવ ઉપલબ્ધ કરાવવા અને સેવાઓ સુધારવા માટે મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યું છે.
— State Bank of India (@TheOfficialSBI) May 6, 2021
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આનાથી સંબંધિત સૂચના હેઠળ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે. બેંકે જણાવ્યું કે, આજે 7 મેના રોજ સાંજે 10:15 વાગ્યે અને 8 મેના રોજ સવારે 1:45 વાગ્યે, બેંક મેન્ટેનન્સનું કામ કરશે. બેંકે કહ્યું છે કે આ સમય દરમિયાન એસબીઆઈના ગ્રાહકો INB/YONO/YONO Lite/UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં.
એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંક આજે તેનું યુપીઆઈ પ્લેટફોર્મ અપગ્રેડ કરશે, જેથી ગ્રાહકનો અનુભવ સુધારી શકાય. આ સમય દરમિયાન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન બંધ રહેશે.
31 મે પહેલાં કરાવો કેવાયસી અપડેટ
એસબીઆઇએ તેના કરોડો ગ્રાહકોને કેવાયસી અપડેટ 31 મે સુધી લંબાવીને રાહત આપી છે. બેંકનું કહેવું છે કે ગ્રાહકોને કેવાયસી માટે બેંકમાં આવવું પડતું નથી. કોરોના કાળની બીજી લહેરને કારણે, ઘણાં રાજ્યોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો હવે પોસ્ટલ અથવા ઇ-મેલ દ્વારા કેવાયસી દસ્તાવેજ સબમિટ કરી શકે છે.