ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચે ગઠબંધનને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
શું AAP અને BTP વચ્ચે ગઠબંધન થશે?
મહેશ વસાવાની કેજરીવાલ સાથે દિલ્લીમાં બેઠક
વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધનની ચર્ચા
હાલમાં દેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત મેળવી ત્યાં સરકાર બનાવી છે. હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પર છે.આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ શરૂઆત કરી દીધી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAP અને BTP વચ્ચે ગઠબંધનની શક્યતા
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને આપ નેતા ઈસુદાન ગઢવીએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ગોપાલ ઈટાલીયાએ છોટુ વસાવાને આપમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે.
BTPના MLA મહેશ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે દિલ્લીમાં બેઠક કરી
આ બેઠક બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ગઠબંધન થઇ શકે છે. આ ઉપરાંત ગુજરાત AAPના નેતાઓએ છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, મહેશ વસાવાની કેજરીવાલ સાથેની મુલાકાતને સંભવિત ગઠબંધનને લઇને જોવાઇ રહ્યું છે