ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ મોટા સમાચાર; રાજકોટના વિંછિયામાં તાંત્રિક વિધિ કરીને પતિ-પત્નીએ બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે
રાજકોટના વિંછિયાથી આંધળી અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરમાં તાંત્રિક વિધિ કરીને પતિ-પત્નીએ બન્નેએ પોતાના મસ્તક હવનકુંડમાં હોમીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પતિ પત્નીની બન્નેની બે સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે જે સ્યુસાઈડ નોટ સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો. બંન્નેનું નામ હેમુ મકવાણા અને હંસાબેન મકવાણાએ છે જેમણે અંધશ્રદ્ધામાં કહેવાતા શબ્દ કમળ પૂજા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
RTEમાં પ્રવેશ આપવા મામલે VTV NEWSના અહેવાલની અસર પડી છે. RTEમાં 100 ટકા એડમિશન અપાવવા માટે એજન્ટ સક્રિય થયાનો VTV NEWSએ અહેવાલ દર્શાવ્યો હતો. જે અહેવાલ બાદ તંત્ર હરકતામાં આવ્યું છે. જે બાબતે DEOએ જણાવ્યું હતું કે, કોઈ પણ વચેટિયા પાસેથી ફોર્મ ભરાવવું નહીં તેમજ તે મુદ્દે સંયુક્ત શિક્ષણ નિયામકે લખાવી જાણવા જોગ ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગર સેક્ટર-7માં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના વિવાદીત હાટકેશ્વર બ્રિજ કૌભાંડને લઈ કંપની પર સવાલો ઉઠી રહ્યાં છે. બ્લેકલિસ્ટ અજય ઇન્ફ્રાને શહેરમાં 2 બ્રિજના કામ કોણે આપ્યાં તે સવાલો ઉઠી રહ્યાં છે. તેમને જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં અજય ઇન્ફ્રા દ્વારા અમદાવાદમાં કુલ 4 બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં ગોતા રેલવે ઓવરબ્રિજ, હાટકેશ્વર બ્રિજ, ઝુંડાલ જંક્શન બ્રિજ, વટવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કર્યું છે.
કિરણ પટેલની અત્યારે સઘન તપાસ ચાલી રહી છે અને દિવસેને દિવસે કિરણે કરેલી કળા તેમજ કારનામા ઉજાગર થઈ રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ આવો જ એક કિરણ પટેલ ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા પામી છે. રાજકોટ કોર્ટે ઠગ હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ નકલી IBના અધિકારીની ઓળખ આપીને રાજકોટના કારખાનેદાર સાથે છેતરપિંડી આચરી હતી.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PMની ડિગ્રી મુદ્દેના નિવેદનને લઈ મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાત યુનિવર્સિટીએ કેજરીવાલ સામે માનહાનિનો દાવો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો કેજરીવાલ પર આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાબતે કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યો છે.
અમદાવાદમાં લોન લેવા માટે કાવતરૂ રચનાર આરોપીઓની ધરપકડ કરાઇ છે. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ આ કાવતરૂ રચ્યુ હતુ. આરોપીઓએ કરોડોની લોન લેવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી. બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી મદદગારી કરી હતી. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ બેન્ક લોન લેનાર છે. જે આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી.
ગુજરાતમાં કોરોનાના નવા કેસ 283 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 130 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશમાં 29 તેમજ સુરત કોર્પોરેશનમાં 25 અને વડોદરામાં 14 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 9 તેમજ ગાંધીનગર કોર્પોરેશન અને ગ્રામ્યમાં થઈ 15 કેસ નોંધાયા છે. પાટણમાં 4 રાજકોટમાં 4 અને સુરેન્દ્રનગરમાં 4 કેસ નોંધાયા છે. આણંદ અને ભરૂચમાં 3-3 કેસ નોંધાયા છે. તેમજ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 1 દર્દીનું મોત થયું છે અને ખેડામાં અને અરવલ્લીમાં કોરોનાથી એક-એક દર્દીનું મોત થયું છે.
શનિવારે રાતે પ્રયાગરાજની મેડિકલ કોલેજમાં રુટીન તપાસ માટે લઈ જવાતી વખતે ત્રણ હુમલાખોરોના ફાયરિંગમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પ્રયાગરાજના કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યાં હતા.પરિવારના ગણ્યાગાંઠ્યાં લોકોની હાજરીમાં બન્ને ભાઈઓની અંતિમવિધિ પૂરી કરાઈ હતી.
UP: Bodies of Atiq Ahmed, Ashraf brought to burial ground in Prayagraj
દિલ્હીના બહુચર્ચિત દારુ કૌભાંડમાં સીબીઆઈએ આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવીને પૂછપરછ કરી હતી. બપોરે 11ની આસપાસ ઘુસેલા કેજરીવાલ સાંજ 9ની આસપાસ સીબીઆઈ મુખ્યાલયમાંથી બહાર આવ્યાં હતા. બહાર આવીને ખુદ કેજરીવાલે ખુલાસો કર્યો હતો તેમને શું શું પૂછાયું હતું. કેજરીવાલે એવું કહ્યું કે મારી 9 કલાક પૂછપરછ કરવામાં આવી અને મને કુલ 56 સવાલ પૂછવામાં આવ્યાં તે બધાના મેં જવાબ આપ્યાં હતા. તેમણે કહ્યું કે દારૂ નીતિ કૌભાંડ અંગે જે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા અને ગંદા રાજકારણનો ભાગ છે. આમ આદમી પાર્ટી ખૂબ જ ઈમાનદાર પાર્ટી છે.
કર્ણાટકમાં 10 મેની વિધાનસભાની ચૂંટણી પહેલા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફટકો આપતાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે રવિવારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઉત્તર કન્નડ જિલ્લાના સિરસી ખાતે વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ ચૂંટણીમાં ભાજપે શેટ્ટરને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો. દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શેટ્ટરને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવાર માટે એક ઉત્તમ તક છે. શિક્ષા મંત્રાલય હેઠળ આવતા કેન્દ્રીય હિંદી સંસ્થાનમાં અનેક પોસ્ટ પર ભરતી કરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર કુલ 33 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. આ પોસ્ટ માટે 15 એપ્રિલ 2023થી અરજીઓ કરવામાં આવી રહી છે અને 15 મે 2023 સુધી અરજી કરી શકાશે. ઉમેદવારોએ આ પોસ્ટ માટે નોકરી મેળવવા ઓફલાઈન અરજી કરવાની રહેશે.
પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અને તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ રવિવારે મુંબઈના બાંદ્રા સ્થિત તાજ લેન્ડ્સ એન્ડમાં પોતાની વાર્ષિક ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું છે. સલમાન ખાન, સલીમ ખાન, આયુષ શર્મા અને અર્પિતા ખાન, પૂજા હેગડે, નરગીસ ફખરી, સાજિદ ખાન, ઉર્મિલા માતોંડકર, જાવેદ જાફરી, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, હુમા કુરેશી અને કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ, ઇમરાન હાશ્મી અને ડેવિડ ધવન સહિત બોલિવૂડ સેલિબ્રિટીઝ આ સેલિબ્રેશન માટે પહોંચતા જોવા મળ્યા હતા.
TATA IPL 2023માં ગુજરાત ટાઇટન્સ vs રાજસ્થાન રોયલ્સ મેચમાં રાજસ્થાન રોયલ્સની જીત થઈ છે. રાજસ્થાન રોયલ્સે આ સિઝજની પાંચમાંથી આ ચોથી મેચમાં જીત મેળવી છે. ગુજરાત ટાઈટન્સ IPL તાજ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છેલ્લી ઓવરમાં જીતેલી મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ બહાર થઈ ગઈ છે.