રાજ્યમાં 14 અત્યાધુનિક બસ ડેપોના નિર્માણ, જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
CM આજે 14 જેટલા બસ ડેપોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
રાજ્યમાં અત્યાધુનિક બસ ડેપોના કરાયું છે નિર્માણ
14 બસ ડેપોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે 14 જેટલા બસ ડેપોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું. રાજ્યમાં અત્યાધુનિક બસ ડેપોના નિર્માણ કરાયું છે. જેમાંથી 9 બસ ડેપોનું લોકાર્પણ કરાયું છે. તો 5 બસ ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દહેગામ ખાતે DyCM નીતિન પટેલ હાજર રહ્યા હતા. અને સાણંદ ખાતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
એસ.ટી બસ સેવા મુદ્દે સરકાર તરફથી નિવેદન
ગુજરાતે સામાન્ય માનવીઓ માટેની પરિવહન સેવા એસ.ટી.ના બસમથકોને એરપોર્ટ જેવા અદ્યતન બસપોર્ટ તરીકે વિકસાવીને દેશમાં નવું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે. એસ.ટી. નિગમની સેવાઓ કોમર્શિયલ ગતિવિધિ નહીં જનસેવાનું માધ્યમ છે. એસ.ટી.નિગમે સમયાનુકુલ પરિવર્તન સાથે વોલ્વો-સ્લિપર કોચ, GPS સુવિધા સજ્જ બસ સેવાઓ યાતાયાતમાં મૂકી છે. રાજ્યના લાખો વિદ્યાર્થીઓને 80 ટકા કન્શેસન પાસ આપીને તેમને અભ્યાસ પ્રવૃત્તિ માટે અવર-જવર અને ભાવિ કારકિર્દી ઘડતરમાં એસ.ટી. નિગમ મહત્વનું પ્રદાન કરે છે.
ખાનગી ઓફિસમાં 100 ટકા સ્ટાફને મંજુરી
કોરોનાના કેસ ઘટના રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખાનગી ઓફિસમાં રાજ્ય સરકારે 100 ટકા સ્ટાફને મંજૂરી આપી છે. સરકારી કચેરીઓમાં પણ પૂર્ણ ક્ષમતા સાથે કામગીરી શરૂ કરાશે. 7મી જૂનથી સંપૂર્ણ ક્ષમતા સાથે ઓફિસ ખોલવા મંજૂરી આપવામાં આવી છે. આવતીકાલે શનિવારે સરકારી કચેરીઓ ચાલું રહેશે. કોરોના વાયરસના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે.