જો તમે સોનું ખરીદવા માંગો છો તો હવે સોનું ખરીદવાનો યોગ્ય સમય આવી રહ્યો છે. કોરોનાની રસીના મામલે પ્રોત્સાહક સમાચારોના પગલે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો થયો છે અને અમદાવાદમાં દિવાળી બાદ સોનાના ભાવમાં લગભગ રૂ. ચારથી પાંચ હજારનો ઘટાડો થયો છે.
સોનું ખરીદવા ઇચ્છતા લોકો માટે મહત્વના સમાચાર
સોનુ ખરીદવાનો અત્યારનો સમય સૌથી યોગ્ય-જવેલર્સ
રસીના સકારાત્મક ખબરોને કારણે સોનાના ભાવ ઘટ્યા હતા
સોની બજારના નિષ્ણાંતો માને છે કે વેક્સિનના સકારાત્મક સમાચારોના પગલે સોનાના દાગીના રૂ. 42,000 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 45,000ની સપાટીએ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે વૈશ્વિક લોકડાઉન વખતે સોનાનો ભાવ રૂ. 57,000 પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી ગયો હતો.
ભારતીય બજારોમાં બુધવારે સોનાની અને ચાંદીની કિંમતમાં વધારો નોંધાયો હતો
દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 675 રૂપિયાનો ભડકો થયો હતો. બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. એક કિલો ચાંદીના ભાવમાં 1280 રૂપિયાનો વધારો થયો હતી.
શું છે સોનાના હાલના ભાવ?
બુધવારે એટલે કે આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે સોનાના ભાવમાં 675 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં નવો ભાવ 99.9 ગ્રામ શુદ્ધતા માટે 48,169 રૂપિયા થયો હતો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધીને 1800 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો.
ચાંદીના નવા ભાવ
બુધવારે એટલે કે આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે ચાંદીના ભાવમાં 1280 રૂપિયાના વધારા સાથે દિલ્હીમાં નવો ભાવ 62,496 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ વધીને 23.80 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો. હાલ સોનાની ખરીદીમાં તેજી વર્તાઈ હોવાથી પીળી ધાતુના ભાવમાં ભડકો થયો છે.