વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ યાત્રિકો માટે મોંઘુ પડી શકે છે પાવાગઢમાં રોપ-વેની સુવિધા હવે યાત્રાઓ માટે મોંઘુ પડી શકે છે
પાવાગઢમાં રોપ-વેની સેવાને લઈ મોટા સમાચાર
રોપ-વેમાં પાવાગઢ ડુંગર પર ચઢવું મોંઘુ પડશે
ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડામાં કર્યો વધારો
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં રોજ હજારો લોકો પ્રવાસ માટે આવતા હોય છે પરતું હવે પાવાગઢ યાત્રિકો માટે મોંઘુ પડી શકે છે પાવાગઢમાં રોપ-વેની સુવિધા મોંઘુ પડી શકે છે કેમ કે રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ તેના ભાડામાં વધારો કર્યો છે.
રોપ-વેમાં પાવાગઢ ડુંગર પર ચઢવું મોંઘુ પડશે
પાવાગઢમાં ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડામાં વધારો કર્યો છે. પ્રવાસીઓની રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવા હવે વધારો ચાર્જ ચુકવવો પડશે. રોપ-વેએ તેના ભાડામાં 29 રૂપિયાનો વધારો કર્યો છે. ટિકિટના દરોમાં વધારો કરાતા હવે રોપ-વેનું ભાડું 169 રૂપિયા થઈ ગયું છે.
અવર-જવરની ટિકિટમાં રૂ.29નો કર્યો વધારો
અગાઉ રોપવેનું ભાડું 140 રૂપિયા હતું જે હવે વધીને 169 રૂપિયા થયું છે. જો કે વર્ષ 2019માં રોપ-વેમાં આ ભાડુ રૂ.116 હતું. જે બે વર્ષમાં વધીરને રૂ.169એ પહોચ્યું છે. એક તરફ મોંઘવારીના મારથી સામાન્ય જનતા ત્રસ્ત બની છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ, સીએસજી,પીએનજી તેમજ અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે ત્યારે હવે યાત્રાધામ પાવાગઢમાં દર્શન પણ હવે પ્રવાસીઓ માટે મોંઘું બન્યું છે.
ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેના ભાડામાં કર્યો વધારો
મહત્વનું છે કે રોપ-વેની સુવિધા વધ્યા બાદ પાવાગઢમાં યાત્રીકોનો ધરખમ વધારો થયો છે પરતું હવે ઉષા બ્રેકો કંપનીએ રોપ-વેએ ભાડામાં વધારો કરતા હવે રોપ-વેના માધ્યમથી પાવાગઢ પર ચઢવું મુશ્કેલ બની શકે છે.
પાવાગઢ એક ખૂબસુરત હિલ સ્ટેશન
વડોદરાથી અંદાજે 50 કિલોમીટરથીદૂર પાવાગઢ રાજ્યનું ખૂબસુરત હિલ સ્ટેશન છે. અહીં એક મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલ છે. જે એક દર્શનીય સ્થળ છે. આમ પાવાગઢનો પ્રવાસ એક ધર્મ અને મનોરંજનનું ડબલ પેકેજ છે. પાવાગઢનું પ્રાકૃતિક આકર્ષણ અને ઐતિહાસિક મહત્વને લઇને પર્યકટો મોટી સંખ્યામાં અહી આવે છે.