સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોમાં ફી ને લઇ નિર્ણય
માતા-પિતાનું મૃત્યુ થયું હોય તેવા વિદ્યાર્થીને ફી માફી
રાજ્યમાં કોરોના કારણે અનેક ક્ષેત્રો પર અસર થઈ છે ઉદ્યાગ ધંધા પણ મંદીનો સામેનો કરી રહ્યા છે એવામાં કેટલીક શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ હિતમાં આગળ આવી છે કોરોના કાળમાં સૌથી વધુ અસર થઈ હોય તો તે શિક્ષણ ક્ષેત્ર છે જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થઈ છે હવે કોરોના કેસ ઓછા થયા છે અને શાળા કોલેજોનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયુ છે ત્યારે કેટલીક શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોમાં ફી ને લઇ નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનોમાં ફીને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે યુનિવર્સિટીએ કોરોના કાળમાં મુત્યું પામનાર વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જે પરિવારમાં ઘરના મોભીનું કોરોનામાં મુત્યું થયું હોય તેવા વિદ્યાર્થીઓને ફી માફી આપવાની યુનિવર્સિટીએ જાહેરાત કરી છે. તેમજ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની એક વર્ષ માટે ફી માફી કરી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.
અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવી આગળ
કોરોના કાળમાં પોતાના સ્વજનો ગુમાવનાર વિદ્યાર્થીઓને લઈ અનેક શાળાઓ, કોલેજ અને યુનિવર્સિટીઓ આગળ આવી છે, આ અગાઉ બાબા સાહેર આંબેડકર ઓપન યુનિવર્સિટીએ પણ કોરોનામાં પિતા ગુમાનાર વિદ્યાર્થિનીઓની ફી માફીનો નિર્ણય કર્યો હતો તેમજ માતા પિતા બંને ગુમાવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફી નહી લેવાનો નિર્ણય કરી વિદ્યાર્થીઓને કોરોના કાળમાં રાહત આપી હતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટી જાહેરાત કરતા મહત્વનો નિર્ણય કર્યો છે