ગુજરાતમાં બાકી ભરતીઓને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં શિક્ષિત બેરોજગાર આંદોલન મામલે આંદોલનકારીઓ આજે મંત્રીઓ સાથે બેઠક કરશે. 38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ છે.
38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ છે
મંત્રી ભુપેન્દ્રસિંહ ચુ઼ડાસમાં અને મંત્રી પ્રદીપસિંહ જા઼ડેજા કરશે બેઠક
ગુજરાતમાં બાકી ભરતીઓને લઇને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આંદોલનકારીઓ સાથે સરકાર બેઠક કરશે VTVમાં બાકી ભરતીઓને લઈને `મહામંથન' કાર્યક્રમમાં માંગ કરાઈ હતી. સરકાર આંદોલનકારીઓ સાથે બેઠક કરશે. બાકી ભરતી અને નિમણૂંકો અંગે ચર્ચા થશે. 38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ છે
આ મામલે દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકારે બેઠક કરવાનું આમંત્રણ આપ્યું છે. રાજ્ય ગૃહમંત્રી અને શિક્ષણમંત્રી સાથે બેઠક થશે. સંકલન સમિતિના આગેવાન બેઠકમાં હાજર રહેશે. અટવાયેલી ભરતીઓની અમારી માંગ છે.
આજે 3 વાગે આંદોલનકારીઓ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે બેઠક કરશે. દિનેશ બાંભણિયા, યુવરાજ જાડેજા સહિતના સભ્યો બેઠક કરશે. અને બેઠકમાં સરકારી ભરતી મુદ્દે ચર્ચા કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ-1માં શિક્ષિત બેરોજગાર આંદોલન મામલે ચર્ચા કરાશે.