શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું છે કે રિપીટર વિદ્યાર્થીઓ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. નિર્ણય લીધા બાદ જ જાહેરાત કરવામાં આવશે
સરકારે રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય લીધો નથી
રિપીટર વિદ્યાર્થીઓની માસ પ્રમોશન ન મળતા વિરોધ
રેગ્યૂલર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી સર્જાઈ શકે
ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ હજુ રિપીટર વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ અને કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યાં છે. પરીક્ષા યોજાશે કે નહીં એને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મૂંઝવણ છે.
રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષાનો વિરોધ
રાજ્યમાં રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી. ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા કહ્યું છે કે રિપીટર વિદ્યાર્થીઓ અંગે હજુ નિર્ણય લેવાયો નથી. નિર્ણય લીધા બાદ જ જાહેરાત કરવામાં આવશે મહત્વનું છે કે ધોરણ-10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે.ત્યારે રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગ ઉઠી છે. કેટલાક રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષાનો વિરોધ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓને માર્કશીટ પણ મળી નથી
બીજી તરફ માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ મળી નથી જેને લઈને હજુ 10માં ધોરણાં માસ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેતા સરકારે નિર્દેશ કર્યો હતો કે માર્કશીટ વગર કોઈ શાળાએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે નહી તેવો નિર્દેશ પણ કર્યો છે.
ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન
મહત્વનું છે કે ધોરણ 10માં 12.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ 12માં 5.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થી છે, જ્યારે ધોરણ 10માં રેગ્યુલર 8.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરતું હજું 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ રિપિટર્સ વિદ્યાર્થીઓ માટે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, જ્યારે ધોરણ 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રિપીટર વિદ્યાર્થીઓનો નિર્ણય લેવાયો નથી
હાલ સરકાર ધોરણ 10 અને 12માં માસ પ્રમોશન આપેલા વિદ્યાર્થીઓને કઈ રીતે પરિણામ આપવું અને કઈ રીતે આગળ પ્રવેશ આપવો એને લઈને મૂંઝવણમાં છે. રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં તો આવ્યું છે, પરંતુ આગળ કઈ રીતે લઈ જવા એ અંગે હજુ નિર્ણય કર્યો નથી. ત્યારે પરિણામ અને પ્રવેશ અંગે વ્યવસ્થા અને નિર્ણય કરવામાં આવશે, એ બાદ જ રિપીટર વિદ્યાર્થીઓ માટે નિર્ણય કરવામાં આવશે.
રેગ્યૂલર વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી
હાલ અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠન રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. પરંતુ હાલ સરકાર પાસે આગળ પ્રવેશ આપવા માટે પૂરતી વ્યવસ્થા નથી. જો રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે તો રેગ્યૂલર વિદ્યાર્થીઓ પ્રવેશ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે તેન લઈને સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં પાછીમાની કરી રહી છે.