અમદાવાદમાં શાહીબાગ સ્થિત આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદિરના દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે.
કેમ્પ હનુમાન મંદિરના સમયમાં ફેરફાર
મંગળ અને શનિ દર્શન માટે વધુ સમય મળશે
સવારે 8 થી રાત્રે 11 સુધી મળશે સમય
અમદાવાદના શાહીબાગ આર્મી કેન્ટોમેન્ટ વિસ્તારના કેમ્પ હનુમાન મંદિરના દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. કેટલાક દર્શનાર્થીઓએ સમય વધારવા માટે અભિયાન હાથ ધર્યું હતું. જે અંતર્ગત મંદિરના ટ્રસ્ટીઓ અને આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડને રજૂઆત કરી હતી.
દર્શનાર્થીઓ મંગળ અને શનિ 2 દિવસ દર્શન માટે વધુ સમય મળશે
જેને લઈને મંદિર ટ્રસ્ટ બોર્ડના સભ્યએ જણાવ્યું હતું કે, આગામી ટ્રસ્ટની બેઠકમાં સમય વધારવાનો નિર્ણય કરાશે. પરંતુ હાલ મંગળવાર અને શનિવારે દર્શનાર્થીઓ માટે દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. મંગળવાર અને શનિવારે હનુમાનજી દાદાના દર્શન માટેનો સમય સવારે 08:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધીનો રહેશે તે સિવાયના દિવસોમાં સવારે 08:00 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે.
કોરોના નિયંત્રણમાં રહેતા સમયમાં કરાયો ફેરફાર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ હતી અને સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધતા હતા, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.