અમદાવાદ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ખેલ મહાકુંભનું પોર્ટલ આવતીકાલ ગુરુવારે ખુલ્લુ મુકાશે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર
ખેલ મહાકુંભનું પોર્ટલ ખુલ્લુ મુકાશે
CMના હસ્તે ખેલ મહાકુંભ પોર્ટલને ખુલ્લુ મુકાશે
આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે
આજે બુધવારે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠક બાબતે પ્રવકતા મંત્રી જીતુ વાઘણીએ લેવાયેલા નિર્ણય પર માહિતી આપતા કહ્યું હતું કે ખેલ મહાકુંભનું પોર્ટલ આવતીકાલે અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે જેમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. જિલ્લા દીઠ 150 અને રમતવીરો ભાગ લેશે સાથે 252 તાલુકા માં 50 જેટલા રમતવીરો હાજર રહેશે. આખો કાર્યક્રમ લાઈવ થશે.આ વખતે યોજાનાર આ ખેલમહાકુંભમાં 45 લાખ રમતવીરો ભાગ લેશે. આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ થશે જે 10 દિવસ સુધી ચાલશે.
30થી વધુ રમતોને અપાય છે પ્રોત્સાહન
ખેલ મહાકુંભનો હેતુ શું છે?
રમત-ગમત ક્ષેત્રે વિશિસ્ટ કૌશલ્ય ખિલવવાના હેતુ સાથે ઉત્કૃષ્ટતાને ઉત્તેજન આપવામાં આવે છે. વધુમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને તેની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે. ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને જુદી જુદી ઔપચારિક તેમજ અનૌપચારિક સ્પર્ધાઓ શોધી કાઢવામાં આવે છે અને તેમને વિવિધ પ્રકારનું સધન પ્રશિક્ષણ આપવામાં આવે છે.વ્યૂહ રચનામાં આ ઉદ્દેશો સિધ્ધ થાય તે માટેની વિવિધ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. જેનાથી તેની કામગીરીલક્ષી ઉદ્દેશો પણ આપોઆપ નકકી થાય છે. જો કે એસ.એ.જી. ખાસ કરીને તો રમતગમતને લગતી સરકારની યોજનાઓનો અમલ કરે છે. આ યોજનાઓ સરકારના અંદાજપત્રમાં સમાવિષ્ટ. હોય છે જે અગાઉ યુવક સેવા આયુકતની કચેરી રાજય ખેલકુદ પરિષદના પરામર્શ સાથે ચલાવવામાં આવતી હતી. એસ.એ.જી.ની સ્થાપના થયા બાદ તેમાં કેટલીક નવી રમતગમતો ઉમેરવામાં આવી છે.
ખેલ મહાકુંભ 2022 વિષે ક્યાંથી મેળવી શકાય જાણકારી?
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલ મહાકુંભનું આયોજન કરે છે. જે માટેની https://khelmahakumbh.gujarat.gov.in નામની સાઈટ પર જઈ તમામ વિગતો તેમજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયાથી લઈ તમામ અપડેટની માહિતી મેળવી શકાય છે.