બેઝીક ગણિત લેનાર વિદ્યાર્થી નહી મેળવી શકે સાયન્સમાં પ્રવેશ
ધોરણ 10માં ગણિત વિષયની પરિક્ષા માટે વિદ્યાર્થીઓને 2 વિકલ્પ
ધોરણ 11માં સાયન્સમાં એડમિશન મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિક્ષણ બોર્ડે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. ધોરણ 10માં બોર્ડની ગણિત વિષયની પરીક્ષા માટે 2 વિકલ્પ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ધોરણ 10ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિકના પ્રશ્નપત્રો અલગ હશે.
શૈક્ષણિક વર્ષ 2021-22 વખતે ગણિતના બંને વિકલ્પો મળશે. જો કે, ધોરણ 10માં ગણિત વિષયનું પુસ્તક એક સરખું જ રહેશે અને શાળા કક્ષાએ લેવાતી પરીક્ષામાં પણ કોઈ ફેરફાર નહીં થાય પરંતુ બોર્ડની પરીક્ષામાં 2 વિકલ્પ આપવામાં આવશે. સાયન્સ ન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત વિકલ્પ પસંદ કરી શકશે. જ્યારે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા ફરજિયાત આપવી પડશે. આપને જણાવી દઈએ કે, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કરશે તે ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત પસંદ કરે તે વિદ્યાર્થીઓ માત્ર સામાન્ય પ્રવાહમાં જ પ્રવેશ મેળવી શકશે.
ગુજરાતમાં શાળા ખોલવાની મંજૂરી
કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ફરીથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેની લીલીઝંડી સરકારે આપી દિધી છે. શરૂઆતના તબક્કે માત્ર ધોરણ બારમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં આવશે. પરંતુ આ માટે સરકારે ખાસ ગાઈડલાઈન બનાવી છે, જેને તમામે પાલન કરવાની રહેશે.
સરકારે ધોરણ 12 માટે પરિપત્ર કર્યો જાહેર
ઓફલાઈન શિક્ષણને લઇ કર્યો પરિપત્ર જાહેર
50 ટકા કેપિસિટી સાથે વિદ્યાર્થીઓને બોલાવી શકશે
શાળાઓમાં બાળકોની હાજરી મરજિયાત રહેશે
જે વિદ્યાર્થીઓ શાળાએ ના આવે તેમના માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવી
પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે વાલીઓના સહી સાથે સંમત્તિ પત્રક લેવું
બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા કરવી