મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક યોજાઇ
CM હાઉસ ખાતે મળી મહત્વની બેઠક, નવા મંત્રી મંડળના ચહેરા અંગે થશે ચર્ચા
ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને સંગઠન રત્નાકર બેઠકમાં હાજર
નવી સરકારમાં જ્ઞાતિગત બાબતો લેવાઇ શકે છે ધ્યાને
મંત્રીમંડળની રચનામાં વિસ્તારગત બાબતોને પણ લેવાઇ શકે ધ્યાને
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલને મળી રાજીનામું સોંપ્યા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને એક બેઠક યોજાઇ છે. આ બેઠકમાં નવા મંત્રી મંડળના ચહેરા અંગે ચર્ચા થઈ છે. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ અને સંગઠનના રત્નાકર હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે.
CM હાઉસ ખાતે મળી મહત્વની બેઠક
આજે ભૂપેન્દ્ર પટેલે રાજીનામુ આપ્યા બાદ મુખ્યમંત્રી નિવાસે એક બેઠક મળી હતી. આ બેઠકમાં શપથવિધિ અને નવી સરકારમાં કયા-કયા મંત્રીના ચહેરા હશે તે અંગે પણ ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે, નવી સરકારમાં જ્ઞાતિગત બાબતો ધ્યાને લેવાઇ શકે છે. આ સાથે મંત્રીમંડળની રચનામાં વિસ્તારગત બાબતોને પણ ધ્યાને લેવાઇ શકે. આજે મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ અને સંગઠનના રત્નાકર હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે, ભૂપેન્દ્ર પટેલના રાજીનામાં બાદ આવતીકાલે કમલમ ખાતે દિલ્હીના નિરીક્ષકોની હાજરીમાંભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાશે.