હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે, દરિયામાં પવનની ગતિ 70થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,'દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. દરિયામાં પવનની ગતિ 70થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. અરબ સાગર મોટો હોવાથી વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ છે. 11થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી વધુ રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે.'
ગુજરાતના વહીવટી તંત્રમાં ફરી ધરખમ ફેરફાર કરાયો છે, પાંચ IAS અધિકારીઓની બદલી અને વધારોનો હવાલો સોંપાયો છે. IAS મનિષા ચંદ્રા, IAS કે એમ ભિમજીયાણીની બદલી કરાઈ છે જ્યારે એ કે રાકેશ તેમજ પી સ્વરુપ અને વિજય નહેરાને વધારોનો ચાર્જ સોંપાયો છે. અત્રે તમને વિગતે જણાવીએ તો IAS મનિષા ચંદ્રાની ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે બદલી કરાઈ છે જ્યારે કૃષિમંત્રાલયના સેક્રેટરી IAS KM ભીમીયાણીની નાણામંત્રાલયમાં સેક્રેટરી તરીકે બદલી થઈ છે તેમજ એ કે રાકેશને અધિક મુખ્ય સચિવ સહકાર અને પશુપાલન વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. IAS પી સ્વરુપ મહેસુલ સચિવ (અપિલ)નો વધારાનો ચાર્જ સોંપાયો તેમજ વિજય નહેરાને ધોલેરા પ્રોજેક્ટના સીઈઓની વધારાની જવાબદારી સોંપાઈ છે.
પૂર્વ IPS ઓફિસર સતીષચંદ્ર વર્મા કેસમાં નેશનલ ઉપભોક્તા વિવાદ નિવારણ કમિશને ચુકાદો આપ્યો છે. નેશનલ કમીશને 10 વર્ષ પછી અરજીને ફગાવી તબીબોના પક્ષમાં ચુકાદો આપ્યો છે. અત્રે તમને જણાવી દઈએ કે, નેશનલ કમીશનમાં સતીષચંદ્ર વર્માએ અરજી કરી હતી.સતીષ ચંદ્રવર્માએ 4 તબીબો સામે બેદરકારીની ફરિયાદ કરી હતી જેમાં સર્જરી બાદ થયેલી વિકલાંગતા સામે 5 કરોડનું વળતર ચૂકવવા પણ માગ કરી હતી. તબીબોની બેદરકારીથી તેમને વિકલાંગતા આવી હોવાની ફરીયાદ કરી હતી. જે સમગ્ર મામલે નેશનલ કમીશને કહ્યું કે, તબીબો દ્વારા કરવામાં આવેલી સારવાર યોગ્ય છે. દર્દીએ સર્જરી પછીના પાલન કરવાના નિયમો પાળ્યા ન હતાં અને દવાની સાથે દર્દીની આદતોથી વિકલાંગતા આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2012માં સતીષચંદ્ર વર્માએ સ્ટર્લીંગ હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી.
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખેત તલાવડીમાંથી પાણી ખેંચવા ખેડૂતોને 5 HPનું વીજ જોડાણ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પાણીના ટાંકા કે હોજમાંથી પાણી ખેંચવા ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે. બોર કે કુવા સિવાયના સ્ત્રોતમાંથી પાણી ખેંચવા માટે વીજ જોડાણ આપવામાં આવશે. સુક્ષ્મ પદ્ધતિથી ખેતી કરવા માટે વીજ કનેક્શન અપાશે.તેઓએ જણાવ્યું કે, ખેડૂતોની રજૂઆત હતી જે મંજૂર કરવામાં આવી છે. ચોમાસામાં ખેત તલાવડી અને અન્ય પાણીના સ્ત્રોત માટે ખેડૂતને કનેક્શન અપાશે. વરસાદી પાણીનો સંગ્રહ કરતા ખેડૂતોને વધારાનું કનેક્શન અપાશે.
રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલની પત્રકાર પરિષદ યોજી હતી.રાજ્યમાં સંભવિત વાવાઝોડાને લઇને સરકારનું મોનિટરિંગ હવામાન વિભાગ સાથે સંકલન કરીને ચાલુ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા IMDના સંપર્કમાં રહીને સતત માહિતી મેળવવામાં આવે છે. તેમજ સાવચેતીના ભાગરૂપે સંભવિત જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યુ છે.રાજ્ય આપત્તી વ્યવસ્થાપન સત્તા મંડળ કલાકે કલાકે મોનિટરિંગ કરી માહિતી મેળવી રહ્યુ છે.જેને લઈને દરિયાકિનારાના વિસ્તાર સતર્ક કરાયા છે. આ દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના શરૂ કરાઇ છે. વધુમા જ્ઞાનસેતુ શાળા હેઠળ પરીક્ષા લેવાઈ હતી. મોડેલ સ્કૂલમા વિદ્યાર્થીઓ ભણી શકે તે માટેની આ યોજનામાં ધોરણ 10માં 80 ટકા કરતા ઓછું પરિણામ હોય તેવી શાળા જોવા મળી એટલે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશિપ યોજના શરૂ કરી છે. હવે વિદ્યાર્થીને મન હોય ત્યાં સ્કોલરશિપના કારણે જ્યાં પણ ભણવું હોય ત્યાં ભણી શકશે. દ્વારકા સિગ્નેચ બ્રિજ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે સિગ્નેચર બ્રીજ બનાવતી કંપની દેશમાં અનેક જગ્યાએ બ્રીજ બનાવી રહી છે. જેને લઈને સિગ્નેચર બ્રીજની ક્વોલીટી બાબતે તપાસ કરવામા આવી છે.વીજ તંત્રની કામગીરીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં આપત્તિના સમયે નાગરિકોને ત્વરિત વીજ પુરવઠો મળી રહે એ માટે રાજ્ય સરકાર દ્વારા એકશન પ્લાન સાથે સઘન કામગીરી હાથ ધરવામાં આવે છે. અસરગ્રસ્ત માળખાને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે અસરકારક પગલાં લીધા છે. જેમાં DGVCL હેઠળ કુલ 208 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 43 ટીમો તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને માત્ર 24 કલાકમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો. એજ રીતે MGVCL હેઠળ કુલ 1048 ગામોના વીજ પુરવઠાને અસર થઈ હતી, જેના પુનઃસ્થાપન માટે 73 ટીમો પહેલેથી જ ઉપલબ્ધ હતી અને વધારાની 6 ટીમો DGCVLમાંથી તથા 5 ટીમો UGVCLમાંથી તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો હતો.
એક વર્ષ બાદ એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે. ભાજપે ગુજરાતની તમામ બેઠકો કબજે કરીને વિપક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવાની રણનીતિ બનાવવાની શરૂ કરી દીધી છે. આ વચ્ચે ટ્વિટર પર એક ટ્વિટથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. આ ટ્વિટ બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વાસ્તવમાં આ ટ્વિટ ગુજરાત કોંગ્રેસના ચાણક્ય ગણાતા સ્વ. અહેમદ પટેલના દીકરા ફૈઝલે કર્યું છે. કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેની તસવીરો તેઓએ ટ્વિટર પર શેર કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે vtvgujarati.com દ્વારા ફૈઝલ પટેલ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેઓએ આ બાબતે કંઈ પણ વાતચીત કરવાની મનાઈ કરી હતી.
જો તમને એવી ખબર હોય કે કોઈ બાળક કે સગીરા પર યૌન હુમલો થયો છે કે તેનું યૌન શોષણ થયું છે અને જો તમે તેની ફરિયાદ ન કરો તો તમે પણ દોષી સાબિત થઈ શકો છો અને તેને માટે સજા પણ થઈ શકે છે તેવો કર્ણાટક હાઈકોર્ટનો એક ચુકાદો છે. કર્ણાટકમાં એક ગાયનેકોલોજિસ્ટે સગીર પર યૌન શોષણની ઘટનાની જાણ કરવામાં નિષ્ફળતા બદલ પોક્સો એક્ટની કલમ 21 હેઠળ તેની સામે નોંધાયેલા કેસને રદ કરવાની માગ કરી હતી. જોકે હાઈકોર્ટે તેમની આ માગ ફગાવી દઈને તેમની સામે પોક્સોની કલમ યથાવત રાખી છે. પોક્સો એક્ટની કલમ 19માં દરેક વ્યક્તિને વિશેષ જુવેનાઈલ પોલીસ યુનિટ અથવા સ્થાનિક પોલીસને યૌન શોષણની જાણ કરવી પડતી હોય છે અને જો ખબર હોવા છતાં પણ જાણ ન કરી તો પોક્સો એક્ટની કલમ 21 હેઠળ છ મહિનાની કેદની સજાને પાત્ર છે. આ કેસમાં લેડી ગાયનેક ડોક્ટરે સગીર પીડિતાનો ગર્ભપાત કરી નાખ્યો હતો અને તેમ છતાં પણ તેણે આ વાતની જાણ પોલીસને કરી નહોતી.
ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ રેલ અકસ્માતમાં 288 લોકોના મોત થયાના પાંચ દિવસ પછી, જાજપુરમાં બુધવારે એક માલગાડીની અડફેટે આવી જવાથી છ મજૂરોનાં મોત નીપજ્યાં હતાં અને બે અન્ય ઘાયલ થયા હતા. ભારે વરસાદથી બચવા જ્યારે મજૂરો નીચે આવ્યાં બરાબર ત્યારે માલગાડીના ડબ્બા તેમના પર ઊંધા પડ્યાં હતા જેમાં તેઓ કચડાઈ મર્યાં હતા. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અચાનક વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતાં પાટા પર કામ કરી રહેલા 8 મજૂરો બાજુમા પડેલી માલગાડી નીચે છુપાયા હતા પરંતુ કમનબીસે એન્જિન વગરની માલગાડી આગળ ચાલવા લાગતા તેઓ નીચે કચડાયા હતા.મુખ્યમંત્રી નવીન પટનાયકે રેલવેના કામમાં રોકાયેલા મજૂરોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિજનો માટે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી હતી. તેમણે આ અકસ્માતમાં ઘાયલ થયેલા બે લોકોને યોગ્ય સારવાર આપવાનો આદેશ પણ આપ્યો હતો.
UPDATE: At least 6 labourers killed, 2 critically injured in Odisha's Jajpur Keonjhar Road railway station after being run over by goods train, says official. The labourers had sheltered from heavy rain under the goods train when it started rolling.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને મળ્યા હતા. લગભગ છ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે ઘણી બાબતો પર સમજૂતી થઈ છે. રમત મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ માહિતી આપી હતી કે ખેલાડીઓ સાથેની વાતચીતમાં યૌન ઉત્પીડન કેસમાં 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવા પર ચર્ચા થઈ હતી. અનુરાગ ઠાકુરે કહ્યું, ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર કુસ્તીબાજો સાથે સકારાત્મક વાતચીત થઈ છે. લગભગ છ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, તે આરોપોની તપાસ પૂર્ણ કરીને 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવી જોઈએ અને 30 જૂન સુધીમાં રેસલિંગ ફેડરેશનની ચૂંટણી થઈ જવી જોઈએ. રેસલિંગ ફેડરેશનની આંતરિક ફરિયાદ સમિતિની રચના થવી જોઈએ અને તેનું નેતૃત્વ એક મહિલાએ કરવું જોઈએ.રમતગમત મંત્રીએ વધુમાં કહ્યું, કુસ્તીબાજોએ માંગ કરી છે કે તેમની સામેની તમામ FIR પાછી ખેંચી લેવામાં આવે. કુસ્તીબાજોએ એવો પણ અનુરોધ કર્યો હતો કે બ્રિજભૂષણ સિંહ જેમણે ત્રણ ટર્મ પૂરી કરી છે અને તેમના સાથીદારોને ફરીથી ચૂંટવામાં ન આવે. કુસ્તીબાજો 15 જૂન પહેલા વિરોધ નહીં કરે.
#WATCH | I had a long 6-hour discussion with the wrestlers. We have assured wrestlers that the probe will be completed by 15th June and chargesheets will be submitted. The election of WFI will be done by 30th June: Union Sports Minister Anurag Thakur after meeting wrestlers pic.twitter.com/9hySRefxNM
દેશભરનાં BSNL યૂઝર્સ માટે ગુડ ન્યૂઝ! ટૂંક જ સમયમાં BSNL યૂઝર્સ 4G અને 5G સેવાઓનો લાભ ઉઠાવી શકશે. આજે PM મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં સરકારે BSNLને 4G અને 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે 89,047 કરોડ રૂપિયાનાં પેકેજને મંજૂરી આપી છે. આ સર્વિસનો લાભ ખાસ કરીને ગામડાં અને નાના શહેરોનાં ગ્રાહકોને મળશે. હાલમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સરકારી ક્ષેત્રની દૂરસંચારની કંપની BSNL જૂનનાં મધ્ય સુધીમાં 200 સ્થાનો પર 4G સેવાઓ આપવાનું શરૂ કરશે. BSNLએ દેશમાં જ નિર્મિત 4G ટેલિકોમ ઉપકરણોને ચંડીગઢ અને દેહરાદૂનની વચ્ચે 200 સ્થાનો પર લગાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે આ વર્ષનાં નવેમ્બર-ડિસેમ્બર સુધી BSNLનાં 4G નેટવર્કને અપગ્રેડ કરીને 5Gમાં બદલી દેવામાં આવશે.
Cabinet approves Rs 89,047 cr for spectrum allocation to BSNL for 4G and 5G services: Statement