વર્ષ 2019 પૂરું થવામાં હવે ફક્ત 7 દિવસનો સમય બાકી છે. આ વર્ષના છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બર પહેલાં તમારે કેટલાક જરૂરી કામ પૂરા કરી લેવાના રહેશે. તેમાંથી એક કામ PAN કાર્ડ અને ATM કાર્ડની સાથે જોડાયેલું છે. SBI બેકેં ગ્રાહકોના ATMને લઈને કેટલાક ચેન્જ કર્યા છે તો તમે પણ તમારું કાર્ડ ચેન્જ કરાવી લો તે જરૂરી છે.
7 દિવસમાં કરી લો આ મહત્વના કામ
કેન્સલ થઈ શકે છે તમારું PAN અને ATM કાર્ડ
ATM કાર્ડ બદલવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર
ATM કાર્ડ બદલવાની છેલ્લી તારીખ
જો તમે દેશની સૌથી મોટી સરકારી બેંક SBIના ગ્રાહક છો તો તમે આ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તમારી બેંક જાઓ. મેગ્નેટિક સ્ટ્રિપના જૂના ATM કાર્ડ બદલવાનું બેંકે કહ્યું છે. તમારે તમારા જૂના કાર્ડની બદલીમાં સુરક્ષિત ઈએમવી ચિપવાળું કાર્ડ લેવાનું રહેશે. જો તમે તમારું કાર્ડ બદલાવશો નહીં તો શક્ય છે કે તમારું કાર્ડ બંધ થઈ જશે. કાર્ડ રીપ્લેસમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ છે અને તે ઓનલાઈન કે તમારી હોમ બ્રાન્ચમાં મળી રહે છે. આ સિવાય બ્રાંચ અને નેટ બેંકિંગની મદદથી પણ તમે નવા એટીએમ કાર્ડને માટે અરજી કરી શકો છો.
PAN કાર્ડ બદલવાની છેલ્લી તારીખ
તમે 31 ડિસેમ્બર સુધી દરેક સ્થિતિમાં પાન કાર્ડને આધાર કાર્ડ સુધી લિંક કરી લો તે જરૂરી છે. જો તમે આવું નહીં કરો તો કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ તમારા પાન કાર્ડને અમાન્ય જાહેર કરી શકે છે. પાન કાર્ડને આધારથી લિંક કરવા માટે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જઈને ઓનલાઈન પ્રોસેસ પણ કરી શકાય છે. આ સિવાય તમે 567678 કે 56161 પર મેસેજ કરીને પણ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે જોડવાની પ્રોસેસ કરી શકો છો. તેમાં તમારે UIDPAN- સ્પેસ- 12 અંકનો આધાર નંબર- સ્પેસ અને ત્યારબાદ 10 અંકનો પાન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહે છે.
જો PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તેને આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ અમાન્ય માનવામાં આવશે. તેનાથી તમારું ટેક્સ ટેક્સ રિફંડ અટકી શકે છે.