લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે સમગ્ર દેશમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. જેને લઇને કેટલીક જગ્યાએ વિરોધ અને રજૂઆતો પણ થઇ રહી છે. ત્યારે સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સંઘોની આચારસંહિતાને લઇને ચૂંટણી પંચે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી.
ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા જાહેર કરવામાં આવે છે. ત્યારે આ આચારસંહિતા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચૂંટણીપંચે હાઇકોર્ટને રજૂઆત કરી હતી જેને લઇને હાઇકોર્ટે તેને નકારી છે. સહકારી મંડળીઓ અને દૂધ ઉત્પાદક સંઘોને આચારસંહિતા નહીં લાગુ પડે. ધારાસભા અને લોકસભા ચૂંટણીમાં આચારસંહિતા લાગુ નહીં પડે.
ચૂંટણીપંચે રજૂઆત કરી હતી કે સહકારી સંઘો દ્વારા લેવાતા નિર્ણયની અસર મતદારો પર પડે છે. જેને નકારી કાઢતા હાઇકોર્ટે કહ્યું કે, ડેરીના નિયમોમાં ફેરફાર કરવાથી મતદાનમાં કોઇ અસર ન પડે.
મહત્વનું છે કે, સહકારી માળખામાં હસ્તક્ષેપ થઇ રહ્યો હોવાની રજૂઆત કોર્ટે ગ્રાહ્ય રાખી છે. મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની જનરલ મીટિંગ પરનો સ્ટે કોર્ટે હટાવ્યો છે.