જમ્મુ- કાશ્મીરમાં 370ની કલમ હટી ગઈ તે વાત પાકિસ્તાન પચાવી શક્યું નથી. તે વારંવાર ભારતનાં આંતરિક મુદ્દામાં દખલ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ભારતના આ નિર્ણયને ખોટો સાબિત કરવા માટે હવાતિયા મારી રહ્યું છે. ત્યારે વધુ એક વાર પાકિસ્તાને ત્રીજા પક્ષને ઈન્વોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ત્રીજા પક્ષ તરીકે UNનો ખભો વાપરવા માંગતું હતું જોકે ભારતે UNને પણ રોકડુ પકડાવી દીધું છે.
બન્ને દેશો સહમત હોય તો મધ્યસ્થતા માટે અમે તૈયાર- UN મહાસચિવ
પાકિસ્તાનની મુલાકાતે પહોંચેલા UN મહાસચિવે કાશ્મીર મામલે મધ્યસ્થતાની વાત કરી છે. UN મહાસચિવ ગુતરેસે કહ્યું કે, જો બન્ને દેશ સહમત હોય તો અમે મધ્યસ્થતા માટે તૈયાર છીએ. આમ કહી ગુતરેસે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર મામલે વાતચીત કરવાની મધ્યસ્થતાની ઓફર આપી હતી.
Raveesh Kumar, MEA on comments made by Secretary-General of United Nations (UNSG) in Islamabad: Further issues, if any, would be discussed bilaterally. There is no role or scope for third party mediation. https://t.co/h4zRauRdeb
બીજી તરફ ભારતીય વિદેશ મંત્રાલયે તેનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘જમ્મૂ-કાશ્મીર મામલે અમારું વલણ સ્પષ્ટ છે. જમ્મૂ-કાશ્મીર મામલે ત્રીજા પક્ષનાં સહકારની જરૂર નથી. જમ્મૂ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમને મધ્યસ્થતાની કોઈ જરૂર નથી. જમ્મૂ-કાશ્મીર પર ગમે ત્યારે પણ ચર્ચા થશે તો તે દ્વિપક્ષીય ચર્ચા જ થશે.