ગુજરાતમાં 2022ની ચૂંટણીને લઈ ભાજપની કારોબારી બેઠકો મળી રહી છે, જેમાં જિલ્લા કક્ષાની કારોબારી 4 જુલાઇ સુધીમાં પૂર્ણ કરવા કહેવામાં આવ્યું, 4 જુલાઇ બાદ વોર્ડ અને મંડળકક્ષાની કારોબારી મળશે
ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકનો મામલો
આગામી કાર્યક્રમો અંગે રૂપરેખા તૈયાર કરાઇ
જનસંપર્ક અભિયાન તેજ કરવા સૂચના
ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની કારોબારી 4 જુલાઇ સુધીમાં પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. 4 જુલાઇ બાદ વોર્ડ અને મંડળકક્ષાની કારોબારી મળશે. એપ્રિલ 2022 સુધીના કાર્યક્રમો નક્કી કરાયા છે. તો વેક્સિનેશન, કોરોના ત્રીજી લહેર અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ત્રીજી લહેર માટે સજાગ રહેવા કાર્યક્રમો નક્કી કરાયા છે. તેમજ જનસંપર્ક અભિયાન તેજ કરવા માટે સૂચના અપાઇ છે.
કોરોના મહમારીને લઇને બુથ લેવલે કાર્યક્રમો અંગે સૂચન કરવામાં આવ્યું છે. કોરોના ગાઈડલાઈન સાથે કાર્યક્રમો કરવા સૂચન કર્યા છે. ભાજપમાં કોરોના અસર ખાળવા માટે સ્ટ્રેટેજી બનાવાઇ છે. લોક સંપર્કમાં હેલ્થ કામોને પ્રધાન્ય આપવા અંગે સૂચન કરાયું છે. તેમજ કોરોના બગડેલી ઇમેજ સુધારવા માટે લોકસંપર્ક તેજ કરવા સૂચન કરાયું છે.
ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઈ હતી. જોકે દર વર્ષે યોજાનાર કારોબારી ખૂબ લાંબા સમય બાદ એટલે કે કોરોના મહમારીને કારણે બે વર્ષ બાદ મળી હતી. તો ગઈકાલે યોજયેલી કારોબારીમાં કેટલાક ઠરાવ કરવામાં કર્યા હતા.
ભાજપની ખૂબ લાંબા ગાળા એટલે કે દર વર્ષે યોજાનારી કારોબારી બે વર્ષ બાદ મળી હતી. પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મંત્રી મંડળના અને ભાજપનાં સંગઠન હોદેદારો હાજરીમાં કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. જો કે ખૂબ લાંબા ગાળે મળનારી પ્રદેશ ભાજપની કારોબારીની બેઠક 13મા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષે પ્રવચન આપ્યું હતું. જેમાં કોરોના મહમારી કારણે વર્ચ્યુઅલી રાજ્યના તમામ જિલ્લાના મહંમત્રી અને પ્રમુખો જોડાયા હતા.