શિક્ષણ વિભાગ દ્વારા ગુરૂવારે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કાગળ પર ચાલતી શાળાઓ રદ્ થશે. બીજુ 10-12 બોર્ડના વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે.
બોગસ શાળાઓ સામે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય કર્યો છે. કાગળ પર ચાલતી શાળાની મંજુરી આપોઆપ રદ્દ થશે. શિક્ષણ વિભાગ તમામ શાળાઓને નોંધણીપત્ર આપશે. જેથી માન્યતા વગરની શાળાઓ રદ થઇ જશે.
શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ જાતે પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. તેમજ હાજરી ખુટતી હોય તેવા વિદ્યાર્થીઓ ખાનગી પરીક્ષાર્થી તરીકે ફોર્મ ભરી શકશે.
જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. જ્યારે તેઓ પોતાના નક્કી કરેલા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે.