Important decision taken by Saurashtra University, CCTV cameras to be installed in every professor's chambers following complaints of sexual harassment
સૌરાષ્ટ્રનું અગ્રિમ શિક્ષણધામ ગણાતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સીટી છેલ્લા અમુક સમયથી શિક્ષણ સિવાય અમુક અન્ય કારણોને લઈને વિવાદમાં હતી. જેમાં જાતીય સતામણીઓની ફરિયાદો મુખ્ય હતી. આ ઘટનાઓને નિવારવા માટે તાજેતરમાં યુનિવર્સીટી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
દરેક વિભાગના અધ્યાપકોની ચેમ્બરોમાં લગાડાશે CCTV
વધતી જાતીય સતામણીની ફરિયાદોના પગલે નિર્ણય
શું છે નિર્ણય?
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સીટીના દરેક વિભાગના અધ્યાપકોની ચેમ્બરોમાં CCTV કેમેરા લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ જે તે ભવનના વડા દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાતીય સતામણી મુદ્દે બે પ્રોફેસર તેમજ એક ક્લાર્કને બરતરફ કરવામાં આવ્યા છે.
શું હતો મામલો?
તાજેતરમાં જ MP.Ed વિભાગની એક વિદ્યાર્થીની દ્વારા યુનિવર્સીટીના પ્રોફેસર પર જાતીય સતામણી કર્યાનો આરોપ લગાવ્યો હતો જે બાદ યુનિવર્સીટી દ્વારા આ મામલે તપાસની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જો કે આ રીતની અ પહેલી ફરિયાદ નથી. છેલ્લા અમુક સમયમાં યુનિવર્સીટીના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થીનીઓની જાતીય સતામણી થતી હોવાના અનેક મામલા પ્રકાશમાં આવ્યા હતા. જેમાં સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર હરેશ ઝાલા અને તેની પહેલા બાયો સાયન્સ વિભાગના નીલેશ પંચાલના કિસ્સાઓ હજી તાજા જ છે.