મહોરમના દિવસે રાજકોટના માર્ગો પર આ વર્ષે પણ તાજીયાના ઝુલુસ જોવા મળશે નહીં, ચાલુ વર્ષે તાજીયા ઝુલુસ માર્ગો પર કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
ગુજરાતના અનેક જિલ્લામાં મહોરમમાં નહીં જોવા મળે તાજીયા ઝુલુસ
એક જગ્યાએ રાખીને દર્શન કરવાની મંજૂરી
કોરોના મહામારી અને સંભવિત ત્રીજી લહેરને લઈ તંત્રનો નિર્ણય
રાજકોટથી મહોરમને લઈ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહોરમના દિવસે રાજકોટના માર્ગો પર આ વર્ષે પણ તાજીયાના જુલૂસ જોવા મળશે નહીં. ચાલુ વર્ષે તાજીયા જુલૂસ માર્ગો પર કાઢવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે, રસ્તા પર તાજીયા ઝુલુસ રાખીને દર્શન કરવાની તંત્રએ મંજૂરી આપી છે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરવા પડશે. ગુજરાતમાં સંભવિત ત્રીજી લહેરને લઈ તંત્ર દ્વારા સૌરાષ્ટ્રનો જાણીતો સાતમ-આઠમના મેળા બાદ આ ધાર્મિક તહેવાર અંગે નિર્ણય લેવાયો છે.
તો અમદાવાદમાં પણ આ વર્ષે તાજીયા જુલૂસ નીકળશે નહીં. પોલીસ અને તાજિયા કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ખતરાને જોતા લેવાયો નિર્ણય કરાયો છે. કોરોના મહામારીના કારણે તંત્ર ધાર્મિક કાર્યક્રમો અંગે મોટી છૂટછાટ આપી રહ્યું નથી. 19 ઓગસ્ટના દિવસે મહોરમના દિવસે અમદાવાદમાં તાજીયાનું જુલૂસ ન કાઢવાનો કમિટીએ નિર્ણય કરી દીધો છે. સાથે ગાઈડલાઈનનું પાલન થાય તેનું પણ પોલીસ ધ્યાન રાખશે. મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય તે જોવામાં આવશે. મહત્વનું છે કે, મહોરમ મહિનામાં ઈમામ હુસેનની શહાદતને યાદ કરીને તાજીયાનું જુલૂસ ભારતભરમાં નીકળે છે. જેમાં તમામ ધર્મના લોકો જોડાઈ છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણે કોઈપણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી, નવા કેસની સામે આજે ગુજરાતમાં 28 દર્દીઓ સાજા થયાં છે. તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 194 પહોંચી છે. સાથે હાલ રાજ્યભરમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. આ સાથે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકા પર છે.