કોંગ્રેસે કહ્યું અહંકારમાં ડૂબેલી કહેવાતી હિન્દુઓની સરકારે માતાજી અને બહેન દીકરીઓના પર્વ પર આ GST લગાવ્યો, વાઘાણીએ કહ્યું 2017માં નિર્ણય થયો હતો કોંગ્રેસની આ બાબતે અણસમજ છે.
વડોદરા ગરબા આયોજકની જાહેરાત
ખેલૈયાઓ પાસેથી નહીં વસૂલે GST
18% GST VNFના આયોજકો ભરશે
કોરોના ના બે વર્ષ પછી રાજ્ય માં નવરાત્રી મહોત્સવ ના આયોજનો થઈ રહ્યા છે ત્યારે વડોદરા માં યુનાઈટેડ વેના ગરબા આયોજકોએ પાસનું રજિસ્ટ્રેશન શરૂ કરતાં પાસની કિંમત પર GST લગાવ્યું અંદાજિત 4100 રૂપિયાના પાસ પર 738 રૂપિયા GST વસૂલાય છે જેમાં કારણે ખેલૈયા ઓ માં ભારે નારાજગી જોવા મળી રહી છે કારણે કે વડોદરા ના વિશ્વ પ્રસિદ્ધ ગરબાને જીએસટીનું ગ્રહણ લાગ્યું છે કોલેજ કરતા યુવાનો ગરબમાં પાસ પોકેટ મની માંથી લેતા હોય છે ગરબાના પાસ મોંઘા થતાં હવે ગરબામાં જવું કે કેમ તે એક મુશ્કેલી હોવાનું કહી રહ્યા છે તેમજ સરકાર આ બાબતે કઈંક વિચારે તેવી માંગ કરી રહ્યા છે.
VNFના ગરબા આયોજકો GST ભરશે, ખેલૈયાઓ પર બોજ નહીં પડે
નવરાત્રી નજીક છે. અને ગરબાના તાલે ઝુમવા ખેલૈયાઓ તૈયાર છે. પણ આ વર્ષે દરેક સ્ટેપ ખેલૈયાઓને મોંઘો પડવાનો છે. કેમ કે GSTએ ગરબાને પણ બાકાત નથી રાખ્યા. ગરબાના રંગને GST ફિક્કો પાડી રહ્યો છે. ત્યારે વડોદરાના ગરબા આયોજકે મહત્વની જાહેરાત કરી છે. VNFના ગરબા આયોજકોએ નિર્ણય લીધો છે કે નવરાત્રીમાં આ વખતે સિઝન પાસમાં લગાવેલો 18% GST VNF ભરશે.ખેલૈયાઓ પાસેથી કોઈ જ વધારાનો ચાર્જ નહીં લેવાય.
એન્ટ્રી ફી છે ત્યાં જ ટેક્સ લેવાની વાત: જીતુ વાઘાણી
ગરબામાં GST મુદ્દે જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું કે GST કાઉન્સિલમાં નિર્ણય થાય છે. આ નિર્ણય 2017માં નિર્ણય થયો હતો. કોરોનાકાળને કારણે લાગુ કરવામા આવ્યો ન હતો. ગરબામાં જ્યાં એન્ટ્રી ફી છે ત્યાં ટેક્સ લેવાની વાત છે એ પણ સમગ્ર સિઝનના પાસ ગરબા રસિકો ખરીદે તો. કોંગ્રેસની આ બાબતે અણસમજ છે.
તાત્કાલિક GST તરત પરત લેવામાં આવે: કોંગ્રેસ
બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારના વલણને વખોડતા કહ્યું કે ગુજરાતમાં માતાજીનો પર્વ નવરાત્રી પર પણ GST લગાવ્યો છે. કહેવાતી હિન્દુઓની ઠેકદાર સરકારે ગરબા પર 18% GST ઝીંકયો છે. સરકારની નીતિ અને અહંકારમાં ડૂબેલી કહેવાતી હિન્દુઓની સરકારે માતાજી અને બહેન દીકરીઓના પર્વ પર આ GST લગાવ્યો છે. ક્રિકેટ મેચ પર, બીજા અન્ય એન્ટરટેઇનમેન્ટ પર ટેક્સ અને GST માફી મળે છે ત્યારે ગરબા પર લાગેલો GST તરત પરત લેવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરી રહી છે.
નવરાત્રીની અન્ય વસ્તુઓ પણ મોંઘી થઈ
કોરોના ના બે વર્ષ પછી રાજ્ય માં નવરાત્રી મહોત્સવ ના આયોજનો થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે ગરબા આયોજન ના પાસ પર પણ 18 ટકા જીએસટી લાગુ કરતા ભારે વિરોધ થવા પામ્યો છે ગરબા માં આયોજન,ચણીયા ચોળી અને અન્ય વસ્તુઓ પણ જીએસટી માં આવી જતા ગરબા રસિકોમાં નારાજગી જોવા મળી રહી છે.