અમદાવાદ મનપાની રેવન્યૂ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ટેક્સ વિભાગની ફરિયાદ હવે 155303 નંબર પર ઓનલાઇન કરી શકાશે
અમદાવાદીઓની મોટી સમસ્યાનો આવશે ઉકેલ
અમદાવાદ મનપાનો મહત્વનો નિર્ણય
15 ઓગસ્ટથી ઓનલાઇન ફરિયાદ પ્રક્રિયા થશે શરૂ
ગુજરાતમાં ટેક્સ વિભાગ થતી ગેરરીતિ અને સમસ્યા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પધ્ધતી આપવામાં આવી છે. ઘીરે ઘીરે ટેક્સને લગતી કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. ગત 2 મહિના પેહલા લેવાયેલા નિર્ણય પ્રમાણે ટેક્સ વિભાગમાં નામ બદલવાથી લઈ ટેક્સની ચૂકવણી સુધીના કાર્યો તેમજ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે.
ટેક્સ ખાતાની ઓનલાઇન ફરિયાદ 155303 નંબર પર કરી શકાશે
અગાઉ રેવન્યુ કમિટીના ચેરમેન દ્વારા ટેક્સમાં ગેરરીતિ મામલે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. જે બાદ તંત્રએ સમગ્ર કામગીરી ઓનલાઈનનું મન બનાવ્યું છે. ત્યારે હવે ટેક્સ ખાતાની ફરિયાદ પણ ઑનલાઇન કરી શકાશે. આજે 12 ઓગસ્ટને રવિવારે રેવન્યૂ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો આ નિર્ણય કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટથી ટેક્સ ખાતાની ફરિયાદ ઑનલાઇન નોંધાવી શકાશે તેમજ જરૂરી પુરાવા પણ ફરિયાદમાં ઓનલાઇન અટેચ કરી શકાશે. આ માટે AMC દ્વારા 155303 નંબર પણ બહાર પાડવામાં આવ્યો છે.
એપ્રિલ મહિનામાં સામે આવી હતી ધાંધલીઓ
ગત એપ્રિલ મહિનામાં જ એએમસીના ટેક્સ વિભાગમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સની રકમ બારોબર સેટલ કરાઈ હોવાનું સામે આવ્યું હતું.રેવન્યુ કમિટીના ચેરમેને આ બાબતે મ્યુનિ. કમીશ્નર અને વિજિલન્સ વિભાગને પત્ર લખી તપાસની માંગ કરી હતી..ટેક્સ કોર્પોરેશનના ખાતામાં જમા થવાને બદલે સિસ્ટમ સાથે ચેડા કરી ટેક્સના બીલની રકમ અથવા ક્રેડિટ સેટલ કરી દેવામાં આવી હતી
રિપોર્ટ બાદ ટેક્સ કામગીરી ઑનલાઇન કરવાનો નિર્ણય
માર્ચ મહિનામાં આવા 200 જેટલા ટ્રાન્જેક્શન થયા છે.સ્વાઇપિંગ મશીનને સ્વાઇપ કરીએ નાણાં એએમસીમાં ખાતામાં જમા કરવાને બદલે બારોબાર સેટલમેન્ટ કરી દેવામાં આવ્યા હતા..આ બાબતે મ્યુનિ.કમીશ્નર, ડે. કમીશ્નર ટેક્સ ખાતું, ઇ ગાવર્નન્સ ખાતું અને વિજિલન્સ ખાતાને પત્ર લખી ઘટનાની તપાસ કરવા માંગ કરી હતી. ફોરેન્સિક ઓડિટ કરી આ ક્રાઈમમાં જે કોઈ જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવા માંગ કરી હતી. 200 ટ્રાન્જેક્શનમાં અંદાજે એએમસીને 2 કરોડનું નુકસાન થયું હતું.
ચાલુ વર્ષના ટેક્સ સિવાયનાં બાકી લેણાનાં વ્યાજમાં 75 ટકા માફી
ચાલુ વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને રાહત આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજની રકમમાં 75% સુધીની માફીની જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેનો લાભ વઇ વધુ વ્યાજનાં ભારણથી બચવા તથા શહેરનાં વિકાસકાર્યમાં સહભાગી થવા બાકીદરોને તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગેરૂપે આ માફી આપવામાં આવી છે.
ચાલુ વર્ષના ટેકસ સિવાયનાં બાકી લેણાનાં વ્યાજ પર 75 ટકા માફી
અમદાવાદ કોર્પોરેશને મિલકત વેરા મામલે બાકીદારો માટે રાહતનો પટારો ખોલ્યો છે.જેમાં બાકી મિલકત વેરા અંતર્ગત વ્યાજમાં 75 ટકાની માફી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ લાભ ચાલુ વર્ષના ટેક્સ ઉપર મળશે નહીં. પરંતુ બાકીના ભૂતકાળના જે કોઈપણ મિલકત વેરા બાકી હોય તેના વ્યાજ ઉપર 75% રાહત જાહેર કરવામાં આવી છે.
કોમર્શિયલ અને રહેણાક એકમોને 8 ઓગસ્ટથી મળી રહ્યો છે લાભ
8 ઓગસ્ટ થી 75 દિવસમાં ટેક્સ ભરનાર વ્યક્તિને જ આ યોજનાને લાભ પાત્ર હશે. સરકારી રહેણાંક તેમજ કોમર્શિયલ પ્રકારની કોઈપણ મિલકત હોય તે તમામ મિલકતોને આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.