દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મહત્વનો નિર્ણય, SOU 24 ઓક્ટોબરે ખુલ્લુ રહશે તેમજ 25 ઓક્ટોબરે રહેશે બંધ
SOUનો દિવાળી પર્વને લઈ નિર્ણય
24 ઓક્ટોબરે રહશે ખુલ્લું
SOU 25 ઓક્ટોબરે રહેશે બંધ
સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે ખુલ્લું રહશે. દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. સોમવારના રોજ મેન્ટેનન્સના કારણે બંધ હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે ખુલ્લું રહેશે, જેના બદલે 25 ઓક્ટોબરે બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બાબતે 18002336600 પર કોલ કરીને માહિતી મેળવી શકાશે.
SOU 25 ઓક્ટોબરે રહેશે બંધ
દિવાળી વેકેશનમાં SOU ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. અગાઉ એક દિવસમાં 35 હજારથી વધુ પ્રવાસીઓ SOUની મુલાકાતે પહોંચ્યા હતાનો આંકડો સામે આવ્યો હતો. પ્રવાસીઓના ધસારાને જોતા ખાનગી બસોને પણ દોડાવવાની ફરજ પડી રહી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે ખુલ્લું રહશે. દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે. સોમવારના રોજ મેન્ટેનન્સના કારણે બંધ હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી 24 ઓક્ટોબરે ખુલ્લું રહેશે, જેના બદલે 25 ઓક્ટોબરે બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે વધુ વિગતો માટે 18002336600 પર કોલ કરીને માહિતી મેળવી શકાશે.
દિવાળી પર પ્રવાસીઓની પસંદગી
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ SOUની મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને જોતા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરના પ્રવાસીઓમાં SOU હોટ ફેવરિટ બની રહ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે ત્યારે આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે પરંતુ આ દિવાળી વેકેશનમાં આ સ્ટેટ્યૂ ઓફ યુનિટીની વિશેષતા એ છે કે પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈની આ વિશાળ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા.
પરંતુ હવે પ્રવાસીઓ આ સ્ટેચ્યુને જળ માર્ગે પણ નિહાળે છે. વિશાળ વ્યક્તિત્વ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલના વિશાળ સ્ટૅચ્યુના લોકાર્પણ ને ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે આ ત્રણ વર્ષ માં આ વિશાળ પ્રતિમાને જોવા લાખો લોકો આવી ગયા પરંતુ આ વર્ષે આ વિશાળ પ્રતિમાને નિહાળવાનો મોકો કંઈક અલગ જ છે
ક્રુઝમાં નવા આકર્ષણ
પ્રવાસીઓ હવે રાત્રી દરમ્યાન ક્રુઝ બોટની મઝા માણવા ઉમટી રહ્યા છે હવે આ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે બે નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રુઝ માં હવે કલ્ચરલ પોગ્રામ પણ નિહાળવા મળશે અને સાથે જે ગોવામાં ક્રુઝમાં ડિનર હોયછે એમ નર્મદામાં ફરતી ક્રુઝમાં પણ પ્રવાસીઓ હવે પોતાની મનગમતી વાનગી જમશે. જેના માટે રમાડા હોટલ તરફથી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે.