ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-SHRAM Portal ઉપર શ્રમયોગીઓની નોંધણી માટે ઈ ગ્રામ સેન્ટરને શ્રમિક સહાયતા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે.
શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો નિર્ણય
e-SHRAM Portal ઉપર શ્રમયોગીઓની નોંધણી થઈ સરળ
ઈ ગ્રામ સેન્ટર હવે શ્રમિક સહાયતા કેન્દ્ર જાહેર
ગુજરાતની રાજ્ય સરકાર સંનિષ્ઠ શ્રમયોગીના કલ્યાણ માટે અનેક યોજનાઓ થકી લાભ આપવા મથી રહી છે. ત્યારે રાજ્યના શ્રમ રોજગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારાએ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. e-SHRAM Portal ઉપર શ્રમયોગીઓની નોંધણી માટે ઈ ગ્રામ સેન્ટરને શ્રમિક સહાયતા કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે.
કોણે કોણે મળશે લાભ?
અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગીઓની યોગ્ય રીતે નોંધણી થાય અને અસંગઠીત શ્રમયોગી તરીકે તેઓ પોતાની ઓળખ મેળવી તેને મળવાપાત્ર લાભ સરળતાથી મેળવતા થાય તે માટે ઘરેલુ કામદાર, સ્વરોજગાર મેળવતા શ્રમયોગી તેમજ અસંગઠીત ક્ષેત્રના શ્રમયોગી પોતાની નોંધણી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સ્થાપિત e-SHRAM Portal પર આસાનીથી અરજી કરી શકે તે માટે આ મોટો નિર્ણય પંચાયત લેવામાં આવ્યો છે.
હવે આ વિભાગ હેઠળ આવતા તમામ ઈ ગ્રામ સેન્ટર શ્રમિક સહાયતા કેન્દ્ર
કેન્દ્ર સરકારની સૂચના મુજબ આ પ્રકારની નોંધણી કોમન સર્વિસ સેન્ટર CSC મારફતે કરવાની થાય છે પરંતુ આવી નોંધણીની કાર્યવાહી વધુ ઝડપી અને શ્રમયોગીને સુલભ બની શકે તે હેતુથી રાજ્ય સરકારના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ઈ ગ્રામ સેન્ટરને શ્રમિકોની નોંધણીના હેતુથી શ્રમિક સહાયતા જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે અસંગઠીત શ્રમયોગીઓ કે જે છેવાડાના ગામડા સુધી વસેલા છે તેઓ નજીકના પંચાયત ઘર સુધી જઈને e-SHRAM Portal પર પોતાની નામ નોંધણી કરવી શકશે અને અસગઠિત શ્રમયોગીઓને મળવા પાત્ર સરકારની વિવિધ યોજનાઑ મુજબના લાભ મેળવી શકશે.