ભાવનગર શહેરમાં 100% વેક્સિનેશન થાય તે માટે AMCની જેમ BMCએ પણ નો વેક્સિન નો એન્ટ્રીની રાહ પકડી છે.
BMCનું 100 ટકા વેક્સિનેશન માટે અભિયાન
વેક્સિનનું સર્ટી હશે તો જ મળશે એન્ટ્રી
ફરવા લાયક સ્થળો પર પણ નિયમ લાગુ
એક તરફ દેશમાં પુરપાટ ઝડપે વૅક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે . રોજ રોજ લાખો વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે. છતાંય હજુ પણ એવા ઘણા લોકોને જે કાંતો વેક્સિનથી ડરી રહ્યા છે, કોઈ શંકા છે અથવા તો એમ જ નથી લઈ રહ્યા, BMC પણ યુદ્ધના ધોરણે કેમ્પો ગોઠવી વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તેવા પ્રયાસો કરી રહી છે પણ કેટલાય લોકો કોરોનાને ગંભીરતાથી ન લેતા વેક્સિનના પ્રથમ ડોઝ પણ લીધો નથી. અને આથી હવે BMC આકરી બની છે અને મોટો નિર્ણય લઈ ભાવનગર મહાનગરપાલિકાના કોઈ પણ પરિસરમાં કે જાહેર સ્થળોમાં વૅક્સિનેશન સર્ટિ વીના પ્રવેશ પર પાબંધી લગાવી દેવામાં આવી છે
કોરોના મહામારી નું લડત માટે વેકસીનેશન ખૂબ જ જરૂરી છે, મનપા દ્વારા અનેક પ્રાયસ કરવા છતાં હજુ લોકો વેકસીનેશન માટે જોઈએ તેવા જાગૃત બન્યા નથી, માટે હવે મનપા દ્વારા અલગ રસ્તો અપનાવવામાં આવ્યો છે, જેમાં આજથી ભાવનગર મહાનગરપાલિકાની હસ્તકની ૧૮ મિલ્કતમાં કોરોના વિરોધી રસી લીધી હશે તો જ પ્રવેશ મળશે. અને જો કોઈ રસી લીધા વગરનું ધ્યાન પડશે તો ખાતરી કર્યા બાદ તેમણે સ્થળ પર જ વેક્સિન આપવામાં આવશે તેની જાણકારી પણ મેયર દ્વારા આપવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકા હસ્તક જગ્યાઓ પર નો વેક્સિન નો એન્ટ્રી
મહાપાલિકાની મુખ્ય કચેરી, તરસમીયા-આખલોલ જકાતનાકા-ઝોનલ કચેરી, તમામ વોર્ડની વોર્ડ કચેરી, અકવાડા લેઈક ફ્રન્ટ, બોરતળાવ બાલવાટીકા, સરદારબાગ-પિલગાર્ડન, કૈલાસવાટીકા, બંને સ્વીમીંગ પુલ્સ, ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ હોલ, અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ સંકુલ, તખ્તસિંહજી હોલ-બોરતળાવ, કોમ્યુનીટી હોલ-અખીલેશ સર્કલ, મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક પાર્કીંગ-ગંગાજળીયા તળાવ, ગંગાજળીયા તળાવ અને નારી તળાવ, પરશુરામ પાર્ક ગાર્ડન-સુભાષનગર, કોમ્યુનીટી હોલ-વાલ્કેટગેટ, યુસીડી વિભાગ હસ્તકના તમામ નાઈટ શેલ્ટર અને સીએલસી સેન્ટર વગેરે સ્થળનો સમાવેશ થાય છે.
18 વર્ષની નીચેના બાળકોને છૂટ
જો કે ૧૮ વર્ષથી નીચેના બાળકો અને યુવાનોને નિયમ લાગુ પડશે નહી. મહાપાલિકાની તમામ મિલ્કતો અને સેવાઓના પ્રવેશદ્રાર ઉપર આજથી જ કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યા છે, અને જેમને કોરોના ની વેકસીન લીધી છે તેવા લોકોને જ આ મિલકત માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.આટલું જ નહીં પરંતુ આ તમામ જગ્યાઓ પર કોરોના વેકાઈનેશન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જે લોકોએ કોરોના રસી લીધી નથી તેમને ત્યાં જ સ્થળ પર કોરોના ની રસી આપવામાં આવી રહી છે.