અમદાવાદ જિલ્લા કલેકટરે એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટરે રજાના દિવસો એટલે કે શનિવાર-રવિવારના દિવસોમાં પણ કોરોના સહાય વિતરણ ચાલુ રાખવાનો સ્તુત્ય નિર્ણય કર્યો
અમદાવાદ જિલ્લા કલેક્ટરનો મોટો નિર્ણય
રજાના દિવસોમાં પણ સહાય કામગીરી ચાલુ રહેશે
શનિ-રવિમાં કોરોના મૃતક સહાય ચુકવાશે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોના મૃતક સહાયની કામગીરીએ વેગ પકડ્યો છે.અને રાજ્યભરમાં કોરોના સહાય ફોર્મ વિતરણની પ્રક્રિયા ચાલી રહી છે.ત્યારે,અમદાવાદ જિલ્લા કલેકટરે એક મોટો અને મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લા કલેકટરે રજાના દિવસો એટલે કે શનિવાર-રવિવારના દિવસોમાં પણ કોરોના સહાય વિતરણ ચાલુ રાખવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે. કોરોના કાળમાં અમદાવાદ જિલ્લામાં 3411 લોકો મૃત્યુ પામ્યા પામ્યા હોવાનું પણ કલેકટરે ઉમેર્યું હતું. અત્યાર સુધી 350 લોકોને સહાય આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રીનું નિવેદન;તમામને મળશે સહાય
કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને મુશ્કેલી ઉભી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સહાય મામલે નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે કોરોના મૃતકોના પરિવારજનોને તકલીફ નહીં પડે. મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો સહાય આપવામાં આવશે. MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે. તમામ લોકોને સર્ટિફિકેટ વહેલા-મોડા મળી જશે. આ સહાય સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર ગુજરાત સરકાર આપશે.
રાજકોટમાં ફોર્મની કામગીરી ચાલુ;સહાય ચૂકવાઈ
ત્યારે રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50 હજારની સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે. રાજકોટ કલેક્ટર દ્વારા 144 લોકોને સહાય ચૂકવવામાં આવી હતી. આવતીકાલે વધુ 150 લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવશે. રાજકોટમાં અત્યાર સુધી 738 લોકોના સહાય ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રશાસનના ચોપડે 454 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હોવાનું નોંધાયુ છે. જેની સામે 738 લોકોને સહાય આપવામાં આવશે. આમ, મૃત્યુના આંકડા અને સહાયના આંકડાની વિસંગતતા જોવા મળી રહી છે.જો કે હજુ પણ પ્રશાસન દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોના પરિવારજનોને નાણા ચુકવવાની કામગીરી ઝડપી બની છે.
કોરોનાથી થયેલા મોતના આંકડામાં દ્વિધા
કોરોના કાળમાં થયેલા મૃત્યુ અંગે તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે, શું સરકાર કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના મોતના આંકડા છુપાવી રહી છે.? કારણ કે, વિચાર કરો છે કે, આજે પણ સરકારની વેબસાઈડ પર અમદાવાદ જિલ્લમાં માત્ર 3411 લોકોના મૃત્યુનો આંકડો જ બતાવે છે. જ્યારે મૃતકોની સહાયના ફોર્મ 4 હજારથી વધુ ભરાયા છે. અને હજૂ પણ ભરાઈ રહ્યા છે.. જોકે આ પ્રકારે લોકોની સહાય માટે પડાપડીને જોતા વિપક્ષોએ પણ સરકાર સામે આક્ષેપો કર્યા છે.
સાચો આંકડો છેલ્લે આવશે.ત્યારે પણ વિસંગતતા ?
રાજ્ય સરકારે જે તે સમયે કહ્યું હતું કે, સરકાર કોઈ આંકડા છૂપાવતી નથી. કોરોનામાં મૃત્યુ પામનાર લોકોના આંકડા કોણ છુપાવી રહ્યું છે? શું સરકારને સાચા આંકડા જાહેર કરતા ડર લાગે છે? જો સરકારના આંકડા સાચા હોય તો સહાયના ફોર્મ કેમ વધુ ભરાયા છે? શું સરકારના આંકડા ખોટા છે કે જનતા? હાલ સહાય માટેના ફોર્મ માટે જે રીતે લોકોની પડાપડી થઈ રહી છે તેના પરથી તો સરકાર આંકડા છુપાવતી હોવાનું સ્પષ્ટ થાય છે. તેમ ]તાં આશા રાખીએ કે, સરકાર 15 દિવસમાં વાયદા પ્રમાણે, જેટલા પણ લોકોના ફોર્મ આવે તેમને સમયસર સહાય ચૂકવે. જો કે એ વખતે પણ સરકારી આંકડા અને ભરાયેલા ફોર્મના આંકડાનો મોટો વિરોધાભાસ સામે આવે તો નવાઈ નહિ રહે.