રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે બ્રેક વાગી ગઇ હતી. ત્યારે હવે હાઇકોર્ટે આ આચાર્યની ભરતી પ્રકિયા પરથી સ્ટે હટાવ્યો છે. જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીનો માર્ગ મોકળો બન્યો છે.
આચાર્યની ભરતીને લઈને હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની ગ્રાન્ટ-ઇન-એ ઇડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ્સમાં આચાર્યની ભરતીનો માર્ગ મોકળો બન્યો છે. 2139 આચાર્યની ભરતી પ્રક્રિયા પરથી હાઇકોર્ટે સ્ટે હટાવ્યો છે. ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી હાઇકોર્ટે રદ કરી છે.
રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે બ્રેક વાગી ગઇ હતી. હાઇકોર્ટ દ્વારા ભરતી અંગે થયેલી રિટમાં સ્ટે આપ્યો હતો. જેને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની કાર્યવાહી સ્થગિત થઇ હતી. ત્યારે હવે હાઇકોર્ટના આદેશ બાદ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળામાં આચાર્યની ભરતીનો માર્ગ મોકળો બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ભરતી પ્રક્રિયામાં નોનગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અનુભવને માન્ય રાખવામાં આવતા શિક્ષકો હાઇકોર્ટમાં ગયા હતા.