સુરતમાં બનેલી ઘટના બાદ સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં કોઇ પ્રકારના શેડના બાંધકામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શેડના બાંધકામ પર પ્રતિબંધ મુક્યો છે. ઇમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ શેડનું મટિરિયલ જ્વલનશીલ હોવાથી શેડ પ્રકારના બાંધકામ દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરતમાં શેડ પ્રકારના બાંધકામના લીધે આગ પ્રસરી હતી. તમામ મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં આ નિર્ણય લાગુ પડશે.