હિંદુ ધર્મમાં પત્નીને પતિનો અર્ધાગિની કહેવાય છેજેનો અર્થ થાય છે કે પત્ની પતિના શરીરનો અડધો અંગ હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે કહ્યુ છે કેપત્નીને હંમેશા ખુશ રાખવી જોઇએ કેમકે તેનાથી વંશની વુદ્ઘિ થાય છે. પત્ની ગૃહલક્ષ્મી હોય છે એટલે કે પત્નીના ખુશ અને સુખી રહેવા પર ઘરમાં લાભ થાય છે તો સાથે સાથે લક્ષ્મી પણ આવે છે. કેટલાક ખાસ ગુણોને કારણ પત્નીને ઘરની લક્ષ્મી કહેવાય છે. હિન્દુ ગ્રંથોમાં પત્નીના ગુણો અને અગુણો વિશે ઘણું લખવામાં આવ્યુ છે.
ગરુડ પૂરાણમાં એક શ્લોકમાં પત્નીને કેટલાક ગુણો વિશે બતાવવામાં આવ્યુ છે. તે અનુસાર જે વ્યકતિની પત્નીમાં 4 ગુણ હોયતેણે દેવરાજ ઇંદ્ર એટલે કે સમુદ્ઘ અને ભાગ્યશાળી ગણવામાં આવે છે. આ ગુણોના પ્રભાવથી તેના ઘરમાં લક્ષ્મી ક્યારેય નહી જાય અને સુખ રહેશે.
ઘર સંભાળતી:
ગૃહ કાર્ય એટલે કે ઘરના કામજે પત્ની ઘરના તમામ કાર્ય જેવા કે ભોજન બનાવવુંસાફ-સફાઇ કરવાનુંઘરને શણગારવુંકપડાં-વાસણ સાફ કરવા જેવાબાળકોની જવાબદારી ઠીક રીતે કરવીઘર આવેલા અતિથઓને માન-સન્માન આપવુંઓછા સંસાધનોમાં પણ ગૃહસ્થી ચલાવી જેવા કાર્યોમાં પરિપૂર્ણ હોય છે. આ ગુણ જેની પત્નીમાં હોય છેતો પોતાના પતિના પ્રિય હોય છે.
મીઠા બોલ બોલતી:
પત્નીને પોતાના પતિ હંમેશા સંયમિત ભાષામાં વાત કરવી જોઇએ. સંયમિત ભાષા એટલે કે ધીમે-ધીમે અને પ્રેમપૂર્વક. પત્ની દ્વારા આ પ્રકારથી વાત કરવા પર પતિ તેની વાત ધ્યાનથી સાંભળે છે અને તેની તમામ ઇચ્છાઓ પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે. પતિના સિવાય પત્નીએ ઘરના અન્ય સભ્યો જેવાસાસુ-સસરાદેવર-દેવરાણીજેઠ-જેઠાણીનણંદની સાથે પ્રેમપૂર્વક જ વાત કરવી જોઇએ. મીઠા બોલ બોલતી પત્ની પોતાના પતિ તથા પરિવારના અન્ય સભ્યોના મનમાં પોતાના માટેનો પ્રેમ અને સ્નેહ પેદા કરે છે.
પતિની તમામ વાત માનતી:
જે પત્ની પોતાના પતિને જ સર્વસ્વ માને છે તથા સદૈવ તેના આદેશનું પાલન કરે છેતેણે ઘર્મ ગ્રંથોમાં પતિવ્રતા કહેવામાં આવી છે. પતિવ્રતા પત્ની સદૈવ પોતાના પતિની સેવામાં લાગી રહે છેભૂલથી પણ ક્યારેય પણ તેની લાગણીના દુભાવે તેવી વાત નથી કહેતી. જો પતિને કોઇ દુ:ખની વાત કહેવાની હોય છે તો તે પૂર્ણ રીતે સંયમિત થઇને કહે છેતે હંમેશા પોતાના પતિને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે છે. પતિ સિવાય ક્યારેય કોઇ અન્ય પુરુષ વિશે વિચારતી નથી.
ઘર્મનું પાલન કરનાર:
એક પત્નીનો સૌથી પહલો ઘર્મ હોય છે કે તે પોતાના પતિ તથા પરિવારના હિતમાં વિચારે થતા એવું કોઇ કામ ન કરે જેનાથી પતિ અને પરિવાર માટે અહિત સાબિત થાય. ગરૂણ પુરાણ અનુસારજે પત્ની પ્રતિદિવસ સ્નાન કરીને્ પતિ માટે તૈયાર થાય છેઓછું બોલે છેજે નિરંતર પોતાના ઘર્મનું પાલન કરે છે તથા પતિના પ્રેમ કરે છેતેણે સાચ્ચા અર્થમાં પત્ની માનવી જોઇએ .જે પત્નીમાં આ તમામ ગુણો હોયતેને સ્વંયને દેવરાજ ઇંદ્ગ સજવવું જોઇએ.