દહેગામના લવાડ ખાતે આવેલી રક્ષા શક્તિયુનિવર્સિટીમાં 18 રાજ્યોના 822 વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
દેશની એકમાત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટી
10 જેટલી જુદી જુદી શાખામાં ચાલે છે કોર્સ
ડિપ્લોમાં અને ડિગ્રી અભ્યાસક્રમોનું સંચાલન કરતી યુનિવર્સિટી
દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો પ્રથમ પદવી દાન સમારોહ હતો. જ્યાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. તેમજ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપવામાં આવ્યા. અને 13 વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવી હતી. ત્યારે શું તમે જાણો છો કે આ રક્ષા શક્તિ યુનિવર્સિટીનું મહત્વ શું છે,? આવો જાણીએ
દેશની એક માત્ર યુનિવર્સિટી
સુરક્ષાને લઇને દેશની આ એક માત્ર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે. જે ગાંધીનગરના લવાડ ગામમાં આવેલી છે. આ યુનિવર્સિટીમાં સંરક્ષણ, સાયબર સિક્યૂરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેવા મુદ્દે વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે. રક્ષા શક્તિ યુનિમાં 10 જેટલી જુદી જુદી શાખામાં કોર્ષ ચાલે છે. દેશની એક માત્ર યુનિવર્સિટી હોવાથી વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. આ યુનિવર્સિટી આંતરિક વિકાસના ક્ષેત્રમાં કૌશલ વિકસિત કરવા અને આંતરિક સુરક્ષા પ્રબંધન ક્ષેત્રમાં ભવિષ્યના કર્મચારીઓને સમર્પિત છે. રક્ષા શક્તિ યુનિવર્સિટી ભારતમાં પોલીસ વિજ્ઞાન અને આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં પ્રમાણપત્ર, ડિપ્લોમા અને ડિગ્રી અભ્યાસક્રમનું સંચાલન કરતી યુનિવર્સિટી છે.
2009માં થઇ હતી સ્થાપના
રાજ્યમાં કાયદો - વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2009માં રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.મહત્વનું છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે.
રક્ષા શક્તિ વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009
આ યુનિવર્સિટી પોલીસ વિજ્ઞાન અને આંતરિક સુરક્ષામાં સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસક્રમ ચલાવે છે. ગુજરાત સરકારે રાજ્યના યુવાઓને પ્રભાવી અને કુશળ બનવા માટે તૈયાર કરવા માટે ભારતના ગણતંત્રના છઠ્ઠા વર્ષમાં 2009ના ‘રક્ષા શક્તિ વિશ્વવિદ્યાલય અધિનિયમ, 2009’ની શરૂઆત કરાઇ હતી,