કન્યા પૂજનને ઘણા લોકો કંજક પૂજન પણ કહે છે, આ દરમિયાન નવ કન્યાઓ સાથે એક બાળકની પણ પૂજા થાય છે.
કન્યા પૂજનનું મહત્વ સમજો
કન્યાોની સાથે એક બાળકનું થાય છે પૂજન
9 વર્ષ સુધીની કન્યાનું થાય છે પૂજન
નવ કન્યાનું પૂજન નવ દેવી તરીકે અને એક બાળકનું પૂજન બટુક ભૈરવ તરીકે કરવામાં આવે છે.
આ જ કારણ છે કે કન્યા પૂજન દરમિયાન કંજકો સાથે બેસવાવાળા બાળકને લાંગુર પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે કન્યાઓને દેવીનું સ્વરૂપ માનીને પૂજા કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોને સુખ શાંતિનો આશિર્વાદ આપે છે.
કેટલી ઉંમરની કન્યાઓની થાય છે પૂજા
ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિ દરમિયાન 2 થી 9 વર્ષની વચ્ચેની બાળકીઓની પૂજા કરવામાં આવે છે. તમે ઇચ્છો તો 9 થી વધારે ઉંમરની કન્યાઓને ભોજન કરાવી શકો પરંતુ પૂજા માત્ર 9 વર્ષ સુધીની બાળકીઓની જ કરવામાં આવે છે.
કઇ ઉંમરની કન્યાથી શું લાભ
એવી માન્યતા છે કે કન્યાના પૂજનથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે. 3 વર્ષની કન્યાના પૂજનથી સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય છે. 4 વર્ષની કન્યાના પૂજનથી સુખ-સમૃદ્ધિ મળે છે. 5 વર્ષની કન્યાની પૂજાથી વ્યક્તિ રોગ મુક્ત થાય છે. 6 વર્ષની કન્યાના પૂજનથી યશ અને બુદ્ધિ મળે છે. 7 વર્ષની કન્યાના પૂજનથી સુખ અને ઐશ્વર્ય મળે છે. 9 વર્ષની કન્યાનાા પૂજનથી સમસ્ત તકલીફો દૂર થાય છે.
કન્યા પૂજન વિધિ
નવ કન્યાઓ અને એક બાળકના પગ ધોઇને તેને આસન પર બેસાડો
દરેક કન્યાને કંકુ અને ચોખાથી તિલક કરો
કન્યાઓ માટે બનાવવામાં આવેલા ભોજનમાંથી થોડુ ભોજન લઇને પૂજા સ્થાન પાસે મૂકો
બાદમાં બધી કન્યાઓને ભોજન પીરસો
તેમને પ્રસાદના રૂપમાં ફળ, દક્ષિણા અને ઉપયોગની વસ્તુઓ આપો
દરેક કન્યાના પગે પડીને તેમના આશીર્વાદ લો અને તેમને સન્માનપૂર્વક વિદાય આપો