દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ જાણતા-અજાણતા કરેલાં પાપકર્મમાંથી છુટકારો મળે છે. આ પુણ્ય કર્મમાં સમાનતાનો ભાવ બન્યો રહે છે અને જરૂરિયાતમંદને જીવન ઉપયોગી વસ્તુ પ્રાપ્ત થાય છે. અહીં જાણો દાન સાથે જોડાયેલી એવી વાતો જેનું ધ્યાન રાખવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.
ગરૂડ પુરાણને અનુસાર અનાજ પાણી કપડાં પલંગ અને આસન આ 4 વસ્તુઓનુ દાન વર્ષભરમાં 1-2 વખત કરવું જોઇએ. જેનાથી લાંબા સમય સુધી શુભ ફળ છે. પાણીનું દાન કરવા માટે તમે પાણીની પરબ ઉભી કરી શકો છો અથવા તો ઇચ્છો તો પાણીનું માટલું પણ દાન કરી શકો છો.
જે વ્યકિત પત્ની પુત્ર અને પરિવાર દુ:ખીને કરી દાન આપે છે તેણે દાનનું પુણ્ય મળતું થી. દાન દરેક લોકોને પ્રસન્ન કરીને કરવું જોઇએ.
જરૂરિયાતમંદ વ્યકિતના ઘરે જઇને દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જરૂરિયાતમંદને પોતાના ઘરે બોલાવીને કરવામાં આવેલું દાન મધ્યમ ફળદાયી સાબિત થાય છે.
જો કોઇ વ્યકિત ગાયો બ્રાહ્મણો અને રોગીઓને દાન કરી રહ્યો છે તો તેણે દાન કરવાથી રોકવો ન જોઇએ. આવું કરનાર વ્યકિત ભાગનો પાપનો ભાગીદાર બને છે.
તલ જળ અને ચોખા જેવી વસ્તુઓને હાથમાં લઇને દાન કરવું જોઇએ નહીં તો દાન દૈત્યોને પ્રાપ્ત થાય છે.
દાન આપનારનું મુખ પૂર્વ દિશા તરફ અને દાન લેનારનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઇએ. તેનાથી દાનીનું આયુષ્ય વધે થે દાન લેનારનું આયુષ્ટ ઘટતું નથી.