આજની ખૂબ વ્યસ્ત જિંદગીમાં ટીવી તથા કમ્પ્યૂટર નેટના જમાનામાં પુરાણ એટલે શું? તે તમે કોઇ બ્રાહ્મણને કે કર્મકાંડીને પૂછશો તો તે પછી ગોથાં ખાશે તો બીજા તો શું જવાબ આપવાના. આ ભૂલાતી જતી પરંપરાને હિંદુ સંસ્કૃતિ જાળવવાના ઉદ્દેશ્યથી અહીં તે પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
જે દ્વારા આપ આપનાં સંતાનોને તથા આપ પણ પુરાણ એટલે શું? તે શા માટે અસ્તિત્વમાં આવ્યાં. તે કેટલાં છે? તેમાં શું છે તે જાણી શકશો. પુરાણ, વેદનો વિસ્તાર વેદની ભાષામાં ખૂબ અઘરો હતો. તેથી મહર્ષિ વેદ વ્યાસે લોકોને સમજ પડે તે હેતુથી ૧૮ મહાપુરાણ રચ્યાં. આ ૧૮ મહાપુરાણોમાં પણ પેટા પુરાણ ૧૮ છે. તે તેની વિશેષતા છે. પુરાણોમાં અવતારવાદ વિશે જણાવાયું છે.
૧૮ મહાપુરાણોનાં નામ આ પ્રમાણે છે. જેમાં તેમાં કેટલા શ્લોક છે તે પણ દર્શાવાયું છે. (૧) બ્રહ્મ પુુરાણ ૧૦,૦૦૦ શ્લોક (ર) પદ્મ પુરાણ પપ,૦૦૦ શ્લોક (૩) વિષ્ણુ પુરાણ ૬૩,૦૦૦ શ્લોક (૪) શિવ મહાપુરાણ ર૪,૦૦૦ શ્લોક (પ) શ્રીમદ ભાગવત મહાપુરાણ અઢાર હજાર શ્લોક (૬) નારદ મહાપુરાણ રપ,૦૦૦ શ્લોક (૭) માર્કન્ડેય મહાપુરાણ ૯,૦૦૦ શ્લોક (૮) અગ્નિ મહાપુરાણ ૧પ,૦૦૦ શ્લોક (૯) ભવિષ્ય મહાપુરાણ ૧૪,૦૦૦ શ્લોક (૧૦) બ્રહ્મવૈવર્ત મહાપુરાણ ૧૮,૦૦૦ શ્લોક (૧૧) લિંગ મહાપુરાણ ૧૧,૦૦૦ શ્લોક, (૧ર) વરાહ મહાપુરાણ ર૪,૦૦૦ શ્લોક (૧૩) સ્કંદ પુરાણ ૮૧,૧૦૦ શ્લોક (૧૪) કૂર્મ મહાપુરાણ ૧૭,૦૦૦ શ્લોક (૧પ) મત્સ્ય પુરાણ ૧૪,૦૦૦ શ્લોક (૧૬) ગરુડ પુરાણ ૧૯,૦૦૦ શ્લોક (૧૭) મનુ મહાપુરાણ ૧૯,૦૦૦ શ્લોક (૧૮) મહાકાલિપુરાણ ર૪,૦૦૦ શ્લોકથી શોભે છે.
અગ્નિ મહાપુરાણ તો એટલું દિવ્ય છે છે તેમાં જગતમાં બનેલી તથા બનનારી ઘટનાઓ વિશે ખૂબ માહિતી છે. જો કોઇના ઘરમાં માતા પિતાએ કે દાદા દાદીએ પુરાણ વસાવ્યાં હોય તો તે કબાટમાંથી કાઢી વાંચજો. તેમાંય અગ્નિપુરાણ મળે તો અથથી ઇતિ વાંચજો. તે તમારાં બાળકોને ખૂબ ઉત્તમ તથા દિવ્ય સંસ્કાર આપશે. વિષ્ણુ ભકતો માટે વિષ્ણુ મહાપુરાણ ખૂબ ઉત્તમ છે. તેમાં વિષ્ણુના ર૪ અવતાર તથા તેમના દશાવતારનું વર્ણન ખૂબ સુંદર રીતે રજૂ કરાયું છે.
મહાકાલિપુરાણમાં મા કાળકાના પ્રાગટયની કથા છે. તેમનાં પરાક્રમો તથા તેમણે કરેલા દૈત્યોના વધની કથા સવિસ્તાર છે. નારદ પુરાણ જો કોઇ પાપી અથવા સાત મહાપાપ કરેલ હોય તેવો મનુષ્ય વાંચે તો તે તદ્દન નિષ્પાપ થઇ જાય છે. શિવ મહાપુરાણ તો ખૂબ અદ્ભુત છે. તેમાં સાત સંહિતા છે.
શિવના વિવિધ અવતાર, તેમના વિવાહ, તેમના પુત્ર ગણેશ-કાર્તિક સ્વામી શિવ પરિવાર, કૈલાસ માનસરોવર, હિમાલય, મેનકાજી વગેરેનું બહુ ઊંડાણપૂર્વક વર્ણન કરાયુું છે. શિવ એટલે કલ્યાણ. જો કોઇ મનુષ્ય શિવનું બીજું નામ રુદ્ર ત્રણ વખત એક શ્વાસે બોલી જાય અથવા ત્રણ વખત એક શ્વાસે શિવ શિવ શિવ બોલે જાય તો તે પણ તદ્દન નિષ્પાપ બની જાય છે.•શાસ્ત્રી હિમાંશુ વ્યાસ