કેન્દ્ર સરકારે દાળને સસ્તી કરવા માટે ખાસ પગલું લીધું છે. મસૂરની દાળ પર કૃષિ બુનિયાદી વિકાસ ઉપકરને ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી જલ્દી જ સસ્તી થશે દાળ
મસૂરની દાળને લઈને સરકારનો મોટો નિર્ણય
તમારા ખિસ્સા પર ઘટશે ભાર
કેન્દ્ર સરકારે મસૂરની દાળ પર આયાત શુલ્ક ઘટાડીને શૂન્ય કર્યું છે અને મસૂરની દાળ પર કૃષિ બુનિયાદી વિકાસ ઉપકરને ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે. આ રગલાના કારણે ઘરેલૂ આપૂર્તિને વધારવા અને વધતી કિંમતો પર લગામ લગાવવાનો હેતુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ માટે એક સૂચના રાજ્યસભામાં જાહેર કરી હતી. તેઓએ કહ્યું કે અમેરિકા સિવાય અન્ય દેશમાં નિકાસ કરાતી મૂસરની દાળ પર મૂળ સીમા શુલ્ક 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવાયું છે.
આ રીતે નક્કી કરાયું છે સીમા શુલ્ક
આ સાથે અમેરિકામાં તૈયાર થઈને નિકાસ કરાઈ રહેલી મસૂરની દાળ પર મૂળ સીમા શુલ્ક 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મસૂર દાળ પરના વિકાસ ઉપકરને 20થી 10 ટકા કરાયો છે. ઉપભોક્તા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર હાલમા મસૂર દાળની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જે એક વર્ષ પહેલા એપ્રિલમાં 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઈન્ડિયા ગ્રેન્સ એન્ડ પલ્સેઝ એસોસિયેશન દ્વારા કહેવાયું છે કે ભારતમાં પ્રતિ વર્ષ 2.5 કરોડ ટન દાળની જરૂર રહે છે. આ સાથે આ વર્ષે તેના ઘટાડાની આશંકા પણ જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે કૃષિના બુનિયાદી વિકાસને વેગ આપવા માટે પેટ્રોલ, ડીઝલ, સોનું અને અન્ય કૃષિ ઉત્પાદનો સહિત કેટલીક વસ્તુઓ પર એઆઈડીસી લાગુ કર્યો હતો.