કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે રાજ્યમાં કોરોના કેસ ઘટતા આજની નવા નિયમો લાગુ થશે આ નિયમોમાં દુકાનો, વેપાર-ધંધા ચલાવવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
હેર સલૂન,બ્યુટી પાર્લર સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
રેસ્ટોરન્ટ દ્વારા હોમ ડિલીવરીને 10 વાગ્યા સુધી મંજૂરી
રાત્રે 9:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ
કોરોના કહેર વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ઘટના જતા કોરોના કેસને પગલે આજની નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. કોરોના કેસ વધતા રાજ્યમા આકરી નિયમોની અમલવારી વચ્ચે આંશિક રાહત મળવા જઈ રહી છે. આ નિયમોમાં દુકાનો, વેપાર-ધંધા ચલાવવા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં આજથી નવા નિયમો લાગુ થશે
રાજ્યમાં આશિંક રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે થોડી છુટછાટ આપવા જઈ રહી છે. જેને પગલે હેર સલૂન, બ્યુટી પાર્લર હવે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જ્યારે રેસ્ટોરન્ટ હોમ ડિલીવરીની સમય મર્યાદા રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી છે.જ્યારે ટેક અવે ને રાતના 9 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે.
સાંજે 6 વાગ્યા સુધી દુકાન ચલાવવા માટે અપાઇ મંજૂરી
રાજ્યમાં કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે પરતું રાજ્યમાં હજુ પણ ઘણા કેસ એક્ટિવ છે. અને કોરોનાની ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે પરતું હાલ કોરોનાના ઘટતા કેસને પગલે રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય સરકાર આગામી 11 જૂને સ્થિતિની સમીક્ષા કરશે અને રિવ્યું બેઠક બાદ આગળનો નિર્ણય કરશે તેવું મનાઈ રહ્યું છે.
36 શહેરોમાં વેપારીઓને સરકારે આપી રાહત
હાલ સરકારે 36 શહેરમાં વેપારીઓને રાહત આપી છે. અગાઉ કોરોના કેસ વધતા આ શહેરોમાં આશિંક રીતે કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ વધારવાનો નિર્ણય કર્યો હતો પણ હવે જ્યારે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળતા કેસના આંકડાઓ ઓછા આવી રહ્યા છે જેને પગલે રાજ્ય સરકારે આ શહેરો માટે નિયમોમાં થોડી છુટછાટ આપી છે. રાજ્યમાં નિયમોની આકરી અમલવારી વચ્ચે આંશિક રાહત મળશે તેવું જોવાઈ રહ્યું છે.