પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ બીજા મહાભિયોગનું ટ્રાયલ અમેરિકાના સેનેટમાં મંગળવારે 1 વાગે (ભારતીય સમયાનુંસાર 9 ફેબ્રુઆરીની રાતે 11.30 વાગે ) શરુ થયું. ટ્રાયલ દરમિયાન ટ્રમ્પનું પ્રતિનિધિત્વ તેમની વકીલ બ્રૂસ એલ કૈસ્ટર જૂનિયર અને ડેવિડ સ્કોન કરશે.
સંવિધાન સાધારણ નાગરિકની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શક્તિ નથી આપતો
ટ્રમ્પની ટિપ્પણી ચૂંટણી સુરક્ષાના સામાન્ય સંદર્ભમાં હતી નહીં કે હિંસાના- વકિલ
ટ્રમ્પે સમર્થકોને રૈલી સંબોધિત કરતા સમયે લોકોને હિંસા માટે નહોંતા ભડકાવ્યા
તેમણે સોમવારે (8 ફેબ્રુઆરી)એ 78 પન્નાના ટ્રાયલ બ્રીફ કરતા મહાભિયોગના આરોપને ટ્રમ્પની ફ્રી સ્પીચ, નક્કી પ્રક્રિયાના અધિકારોના ઉલંઘનની સાથે સંવૈધાનિક રુપે ખોટું ગણાવ્યું. ટ્રમ્પે 6 જાન્યુઆરીએ પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કતિત રીતે અમેરિકનોને ભડકાવ્યા હતા. એ બાદ હિંસક ભીડે યુએસ કેપિટલમાં જઈને હોબાળો કર્યો. કેપિટલ હિલી ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થઈ ગયા છે. એટલું જ નહીં બિલ્ડિંગના હોલ અને રુમમાં તોડફોડ કરી. સાથે કોંગ્રેસ અને કેપિટલ સ્ટાફના સભ્યોએ હુમલો થવાના ડરે કલાકો સુધી છુપાઈ રહ્યા.
મહાભિયોગ માટે વોટિંગ
ટ્રમ્પના મહાભિયોગ માટે વોટ આપવા માટે દસ હાઉસ રિપબ્લિકન ડેમોક્રેટની સાથે શામિલ થયા હતા. 25 જાન્યુઆરીએ પ્રતિનિધિ સભા એટલે કે નીચલી સભાએ ઔપચારિક રુપથી ટ્રાયલ શરુ કરવા માટે મહાભિયોગના આર્ટિકલ સેનેટને મોકલવામાં આવ્યું. જો કે કોઈને આશા નથી કે ટ્ર્મ્પને ગુનેગાર ઠરાવાશે. સેનેટમાં ફક્ત બે તૃત્યાંશ બહુમતથી ગુનો સિદ્ધ થઈ શકે છે. જેનો મલતબ છે કે 67 સેનેટર્સને પક્ષમાં મતદાન કરવું જોઈએ. 100 સભ્યો વાળા સેનેટમાં 50 ડેમોક્રેટ દ્વારા ટ્રમ્પની વિરુદ્ધ વોટ આપ્યા બાદ પણ 17 વોટની જરુર રહેશે. જેની શક્યતા બહું ઓછી છે. ટ્રમ્પ વકીલના માધ્યમથી પોતાની વાત સેનેટમાં રાખશે.
સુનવણીમાં શું છે ટ્રમ્પની મુખ્ય દલીલો
વકીલોની દલીલ છે કે ટ્રમ્પે સમર્થકોને રૈલી સંબોધિત કરતા સમયે લોકોને હિંસા માટે નહોંતા ભડકાવ્યા. બચાવ પક્ષના વકીલનો આરોપ છે કે સદનના મહાભિયોગ પ્રબંધક કલાકો સુધી લાંબા ટ્રમ્પના ભાષણમાં ફક્ત તે જ ભાગોને લઈ રહ્યા છે જે ડેમોક્રેટિક પાર્ટીના મામલામાં મદદગાર છે. વકીલોએ રેખાંકિત કર્યું કે ટ્રમ્પે વારંવાર પોતાના સમર્થકોને અપીલ કરી કે તે શાંતિપૂર્ણ અને દેશભક્ત રીતે પોતાનો અવાજ ઉઠાવશે. તેમણે દલીલ કરી કે ટ્રમ્પની આ ટિપ્પણી કે જો તમને જી જાનથી નથી લડતા તો તમે આ દેશ ગુમાવવા જઈ રહ્યા છો. ચૂંટણી સુરક્ષાના સામાન્ય સંદર્ભમાં કહેવામાં આવી હતી. નહીં કે હિંસાના આહ્વાન માટે.
સંવિધાન સાધારણ નાગરિકની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શક્તિ નથી આપતો
વકીલોનું એમ પણ કહેવું છે કે કાયદા પ્રવર્તકોએ પહેલા જ 6 જાન્યુઆરીએ હિંસાના અંદેશાને વ્યક્ત કર્યો હતો. ટ્રમ્પ પોતે હિંસા માટે નહોંતા ઉશ્કેરી શકતા. જો કે ટ્રમ્પના વકીલે દલીલ કરી હતી કે તેમણે સંવિધાનના પહેલા સંશોધન હેઠળ સંરક્ષણ મળ્યું હતુ. સાથે તેણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવું અસંવૈધાનિક છે. કેમ કે તે હવે પદ પર નથી. વકીલોની દલીલ છે કે સંવિધાન સાધારણ નાગરિકની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શક્તિ નથી આપતો.