બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:29 PM, 16 July 2019
ADVERTISEMENT
ભવિષ્યમાં પણ કોલસ્ટરોલ, બીપી, ડાયાબિટીશ અને હાર્ટની બિમારી થવાની શકયતા ઘણી ઘટી જાય છે. 'ધી લેન્સેટ ડાયાબિટીશ એન્ડ એન્ડોક્રાઇનોલોજી' જર્નલમાં પ્રસિધ્ધ એક રિસર્ચ અનુસાર વજન ઘટાડવાથી આ બધા ફાયદા થાય છે પરંતુ રોજબરોજ લેવાતી કેલેરીની પણ આરોગ્ય પર ગાઢ અસર પડે છે. જરુર કરતા ઓછી કેલેરી લેવાથી શરીરના મેટાબોલિઝમ પર જબરદસ્ત અસર થાય છે. જોકે તેને હજુ પુરેપુરી રીતે સમજી શકાયુ નથી.
રિસર્ચ માટે પસંદ કરાયેલા લોકો પરના પ્રયોગે પુરવાર કર્યું છે કે માત્ર કેલેરી ઓછી કરવાથી તેની આરોગ્ય પર બહુ હકારાત્મક અસર જોવા મળી હતી. અનેક લોકોને સામાન્ય બળતરા કે સોજાની સમસ્યા હતી જે દુર થઇ ગઇ હતી. આ સમસ્યા આગળ જતા હાર્ટની બિમારી અને કેન્સરને આમંત્રણ આપી શકે છે.
ADVERTISEMENT
આપણા આયુર્વેદમાં તો ભુખથી ઓછુ ખાવાની સલાહ આપેલી જ છે. તેમ છતાં સરેરાશ ભારતીયો જંકફુડ અને સોફટ ડ્રીંકસ દ્વારા ઘણી વધુ કેલેરી પેટમાં પધરાવે છે. કેટલાક લોકોને રાતના ભોજન પછી સુતા પહેલા આચરકુચર પેટમાં પધરાવાની ટેવ હોય છે. લંચ અને ડીનર વચ્ચે પણ લોકો ભુખ ન હોય તો પણ ખાતા રહે છે. આ ટેવ પણ છોડી દેવામાં આવે તો પણ કેલેરીમાં ઘટાડો થઇ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.