હાલ સમગ્ર વિશ્વમાં હજૂ પણ કોરોનાના કહેર યથાવત છે. જેને લઈને વિશ્વના દેશોમાં વેક્સિન અભિયાન પર ભાર આપવામાં આવી રહ્યું છે, જો કે અમુક દેશો એવા પણ છે, જ્યાં વેક્સિન અભિયાનમાં પ્રયાસો નહીંવત છે.
સમગ્ર દુનિયામાં છે મહામારીનો કહેર
કોરોના એટલો જલ્દી ખતમ નહીં થાય
કોરોનાથી છૂટકારો મેળવવા આટલા કામ તો કરવા જ પડશે
દુનિયાભરમાં કોરોના મહામારીનો કહેર હજૂ પણ યથાવત છે. અમુક દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણનો પ્રસાર ઓછો થયો છે, પણ હજૂ સુધી લોકોને તે ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યો છે. દુનિયામાં મોટા ભાગના દેશોમાં વેક્સિનેશન અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે, જો કે, દુનિયામાં એવા કેટલાય દેશો છે. જે વેક્સિનથી વંચિત છે. આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેયેસસે કહ્યું કે, દુનિયાભરમાં કોરોના વાયરસના પ્રસારની ગતિ ધીમી હોવા છતાં પણ આ વાયરસની અસર કેટલાય વર્ષો સુધી અનુભવી થઈ શકશે.
દાયકાઓ સુધી અનુભવાશે કોરોનાનો પ્રભાવ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે ચેતવણી આપતા કહ્યું કે, વધારે કોરોના વેરિએન્ટ ઉભરવાના કારણે હજૂ પણ સ્થિતી આદર્શ બનેલી છે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કોરોનાનો પ્રભાવ સૌથી નબળા સમુદાયોની વચ્ચે વધારે અનુભવાઈ રહ્યો છે. કોરોના મહામારીનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છએ. જેનાથી લોકોની વચ્ચે તેનો પ્રભાવ અને વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હુંના પ્રમુખ ટેડ્રોસનું માનવું છે કે, કોરોના મહામારીનો ખરાબ પ્રભાવ દાયકા સુધી અનુભવાશે. તેમણે કહ્યું કે, દુનિયામના દેશોની વચ્ચે રસીકરણને લઈને ઘણી અસમાનતા ફેલાયેલી છે.
મહામારીને કંટ્રોલ કરવાના પ્રયાસો ચાલું
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસે લોકોને જણાવ્યું છે કે, હાલના સમયમાં રાષ્ટ્રમંડલ દેશોની ફક્ત 42 ટકા વસ્તીને જ રસીનો બીજો ડોઝ મળ્યો છે. તેમણે કહ્યું કે, કોમન વેલ્થ આફ્રિકી દેશોમાં સરેરાશ વેક્સનેશન રેટ ફક્ત 23 ટકા જ છે. આ અસમાનતાની ભરપાઈ કરવું ખૂબ જ જરૂરી છે. આ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક પ્રાથમિકતા છે. તેમણે ભાર આપતા એવું પણ કહ્યું છે કે, મહામારીને કંટ્રોલ કરવાની સાથે જીંદગી બચાવવી અને આજીવિકાનું રક્ષણ કરવા માટે સમર્થન કરતા કામ કરવું પડશે.